નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(એનજીટી)એ મુંબઇમાં ગેસ ચેમ્બર જેવી સિૃથતિનું નિર્માણ કરવા બદલ બીપીસીએલ અને એચપીસીએલ સહિતની ચાર કંપનીઓ પર કુલ 286 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.પર્યાવરણને નુકસાન કરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે.
એનજીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે સી લોેર્ડ કન્ટેનર્સ લિમિટેડ (એસએલસીએલ), એજિસ લોજિસ્ટિક્સ લિમિટેડ(એએલએલ),ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(બીપીસીએલ) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ)ને કારણે માહુલ અને અંબાપાડા ગામોમાં વોલેટાઇલ ઓર્ગેનિક કંપાઉન્ડ્સ (વીઓસી)નું પ્રમાણ વધી ગયું છે.
ટ્રિબ્યુનલે જણાવ્યું છે કે આ ખતરનાક ઝેરી ગેસના કારણે ફેફસા સહિતના શરીરના અંગોને ભારે નુકસાન થઇ શકે છે.કેટલીક વખતે આ વિસ્તારની સિૃથતિ ગેસ ચેમ્બર જેવી થઇ જાય છે.એનજીટીએ એચપીસીએલને 76.5 કરોડ, બીપીસીએલને 67.5 કરોડ, એજિસને 142 કરોડ અને એસએલસીએલને 0.2 કરોડ રૂપિયા ચુકવવાનો આદેશ આપ્યો છે.
એનજીટી અધ્યક્ષ ન્યાયમૂર્તિ એ કે ગોયલના નેતૃત્ત્વવાળી ખંડપીઠે જણાવ્યું છે કે સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ(સીપીસીબી)ના બે વરિષ્ઠ સભ્યો, પર્યાવરણ મંત્રાલયના પ્રતિનિિધ, જિલ્લા મેજિસ્ટ્રેટ, એનઇઇઆરઆઇ, ટીઆઇએસએસ-મુંબઇ, આઇઆઇટી-મુંબઇ, કેઇએમ હોસ્પિટલ-મુંબઇ, હેલૃથ સેક્રેટરી, મહારાષ્ટ્રના નોમિનીથી બનેલી સંયુક્ત કમિટી પર્યાવરણને થતું નુકસાન અટકાવવા એક્શન પ્લાન ઘડશે.
મુંબઇના રહેવાસી ચારૂદત્ત કોલી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના સંદર્ભમાં એનજીટીએ આ દંડ ફટકાર્યો છે.અરજકર્તાએ માહુલ,અંબાપાડા અને ચેમ્બુરમાં વધી રહેલા પ્રદૂષણને અટકાવવા યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી હતી.