(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર : ગુજરાતભરની સહકારી સંસ્થાઓના ભાજપના હોદ્દેદારોને એક છત્ર હેઠળ લાવીને ૨૯મી મેએ ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં મહાસંમેલન યોજવાનો આજે નિર્ણય લેવામાં આવ્યો છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે તમામ સહકારી સંસ્થાઓના માધ્યમથી ગુજરાતના ગામેગામના મતદારો સુધી પહોંચવાનું આયોજન પાર પાડવાના હેતુથી આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.આઝાદી પછી અને ગુજરાત અસ્તિત્વમાં આવ્યું તે પછી પહેલીવાર ગુજરાતમાં પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં સહકારી સંસ્થાઓનું મહાસંમેલન યોજવામાં આવી રહ્યું છે.
ગુજરાત વિધાનસભાની આવી રહેલી ચૂંટણી પૂર્વે જ ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખના મેન્ડેટથી અને સહકાર સેલના વડા બિપીન પટેલના માર્ગદર્શન હેઠળ સહકારી સંસ્થાઓની ચૂંટણી લડવામાં મળેલી પ્રચંડ સફળતાને પગલે ગુજરાતની તમામ સહકારી સંસ્થાઓના માધ્યમથી ખેડૂતો અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા પશુપાલકોને ભાજપ તરફ ખેંચી લાવવાના પ્રયાસ રૃપે આ સમંલનનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું સહકારી વર્તુળના ટોચના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.આ મહાસંમેલનમાં ગુજરાતની તમામ કેટેગરીની સહકારી સંસ્થાઓના ભાજપના હોદ્દેદારોને આમંત્રણ આપવામાં આવશે. શહેર, જિલ્લા, તાલુકા અને ગ્રામીણ સ્તરની તમામ સહકારી સંસ્થાઓમાં ચૂંટાયેલા ભાજપના ડિરેક્ટરો અને ઉચ્ચ હોદ્દેદારોને આ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેવાની સૂચના આપવામાં આવી રહી છે.
આ સંમેલનના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની સરકારે ખેડૂતો અને સહકારી ક્ષેત્રના હિતમાં કરેલા નિર્ણયોથી તમામ હોદ્દેદારોને માહિતગાર કરશે.કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના ગ્રામીણ પ્રજાલક્ષી અને ખેડૂત લક્ષી નિર્ણયોની જાણકારી આપવામાં આવશે.આગામી વિધાનસભાની ચૂંટણી માટેની પૂર્વતૈયારીરૃપે આ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાત પૂર્વે ઉત્તર પ્રદેશમાં આ મોડેલથી ચૂંટણી લડીને જંગી સફળતા ભાજપ મેળવી ચૂક્યો છે.આ જ મોડેલને ગુજરાતમાં લાગુ પાડીને વિધાનસભાની ચૂંટણીમા ંઅકલ્પ્ય સફળતા મેળવવાનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.