By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પ્રમાણિકતા સાથે સત્યનું શરણ અને અસત્યનો પરિત્યાગ પત્રકારનો ધર્મ : વેદપ્રતાપ વૈદિક
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > પ્રમાણિકતા સાથે સત્યનું શરણ અને અસત્યનો પરિત્યાગ પત્રકારનો ધર્મ : વેદપ્રતાપ વૈદિક
GandhinagarGeneralGujarat NowNational

પ્રમાણિકતા સાથે સત્યનું શરણ અને અસત્યનો પરિત્યાગ પત્રકારનો ધર્મ : વેદપ્રતાપ વૈદિક

HM News
Last updated: 20/02/2020 3:48 PM
HM News
6 years ago
Share
SHARE

આઝાદીની ક્રાંતિકારી ચળવળ સમયે જનમાનસના ઘડતરમાં સમાચારપત્રોની ભૂમિકા મહત્ત્વની હતીઃ રાજ્યપાલ
ગાંધીનગર ખાતે ઈન્ડિયન જર્નાલિસ્ટ યુનિયનની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક યોજાઈ
ગાંધીનગર,તા.૨૦
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ભારતની આઝાદીની ક્રાંતિકારી ચળવળ સમયે જનમાનસના ઘડતરમાં પત્રકારોની – સમાચારપત્રોની ભૂમિકા મહત્ત્વરૂપ હતી. જ્યારે સત્યનો અવાજ દબાઈ જાય છે ત્યારે કલમ બોલે છે. પત્રકારત્વ એ તપસ્વી વ્યક્તિનું કાર્ય છે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, આત્માના અવાજથી સર્વોપરિતા સ્વીકારવી એ જ પત્રકારોનો ઉદ્દેશ હોવો જોઈએ. તેઓ ગાંધીનગર ખાતે ઈન્ડિયન જર્નાલિસ્ટ યુનિયન(આઇજેયુ)ની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકના ઉદ્ધાટન પ્રસંગે સંબોધન કરી રહ્યાં હતા.રાજ્યપાલે પત્રકારત્વને લોકશાહી શાસન પ્રણાલીનાં અભિન્ન અંગ સમાન પણ ગણાવ્યું હતું.
રાજ્યપાલે સ્વાતંત્ર સંગ્રામમાં પત્રકારોની ભૂમિકા સંદર્ભે વધુમાં જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજી, લોકમાન્ય બાલગંગાધર તિલક જેવા મહાપુરુષોએ સ્વતંત્રતા પ્રાપ્તિ માટે પત્રકારત્વના માધ્યમથી સમાજને માર્ગદર્શન આપ્યું હતું. એટલું જ નહીં ગણેશશંકર વિદ્યાર્થીના પ્રતાપ અખબાર સાથે જોડાઈને ક્રાંતિકારી શહીદ ભગતસિંહે શરૂઆતના દિવસોમાં અંગ્રેજ શાસન સામે જંગ છેડયો હતો.
પત્રકારત્વમાં વિશ્વસનીયતા અને પ્રમાણિકતાના ગુણો બહુ જ જરૂરી છે તેમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, સત્તાના માર્ગ પર ચાલનારાને પત્રકારત્વ સત્યનું દિશાદર્શન કરાવે છે. જ્યારે સત્યનો અવાજ દબાઈ જાય છે ત્યારે કલમ બોલે છે. પત્રકારત્વ એ તપસ્વી વ્યક્તિનું કાર્ય છે તેમ જણાવી રાજ્યપાલે એમ પણ કહ્યું કે,આત્માના અવાજથી સર્વોપરિતા સ્વીકારવી એ જ પત્રકારોનો ઉદ્દેશ હોવો જોઈએ.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભારતના વરિષ્ઠ પત્રકાર વેદપ્રતાપ વૈદિકે પત્રકારોને લોકતંત્રનું હૃદય ગણાવી જણાવ્યું હતું કે, શરીરનો કોઈ ભાગ આરામ કરે તે ચાલશે પણ હૃદયને ચોલીસ કલાક કામ કરવું પડશે, તેમ લોકશાહીમાં પત્રકારો ચોવીસ કલાક સતર્ક રહીને કાર્ય કરે છે. તેમણે પત્રકારત્વનાં વ્યવસાયને ત્યાગ અને સમર્પણનો વ્યવસાય ગણાવ્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, મનથી સ્વતંત્ર રહેનારા પત્રકારને કોઈ અંતરાય નડતો નથી. પ્રમાણિકતાની સાથે સત્યનું શરણ અને અસત્યનો પરિત્યાગ પત્રકારનો ધર્મ છે. તેમણે શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે સાનુકુળ પરિવર્તનની પણ હિમાયત કરી હતી.
આ પ્રસંગે રાજ્યપાલે પદ્મશ્રી પુરસ્કાર અલંકૃત સુભાષ પાલેકર પ્રેરિત પ્રાકૃતિક કૃષિ, ગૌવંશની નસલ સુધારણા, નશામુક્તિ જેવા અભિયાનોની સફળતામાં પત્રકારોના સહયોગની પણ નોંધ લીધી હતી.
આ કાર્યક્રમમાં ઈન્ડિયન જર્નાલિસ્ટ યુનિયનના અધ્યક્ષ કે. બી. પંડિતે યુનિયનની કાર્યપ્રણાલી અને પત્રકારોની સ્વતંત્રતા તેમજ સામાજિક સુરક્ષા સંદર્ભે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જ્યારે યુનિયનના ગુજરાત રાજ્યના સંયોજક ભીખાભાઈ પ્રજાપતિ અને સ્વાગત સમિતિના અધ્યક્ષ લક્ષ્મણભાઈ પટેલે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં બિહારના વરિષ્ઠ પત્રકાર આચાર્ય ગૌરીશંકર ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે વિવિધ રાજ્યોમાંથી ઉપસ્થિત રહેલા અગ્રણી પત્રકારોનું સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને અંતે મૃગેશભાઈ શિવપુંજીએ આભારદર્શન કર્યું હતું.

TAGGED:પ્રમાણિકતા સાથે સત્યનું શરણવેદપ્રતાપ વૈદિક
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મોદી-ટ્રમ્પની ઠેકડી ઉડાડનાર કોમેડિયન હસન મિન્હાજ વ્હાઈટ હાઉસમાં શો કરશે
Next Article એમ્બ્રોઈડરીના કારખાનામાંથી ૧.૩૩ લાખના સાડીની ચોરી કરી તસ્કરો ફરાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Engineering
  • Election
  • Design
  • Innovation
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Viral
  • Fashion
  • Like
  • Motivation
  • Conservative
  • Video
  • Photography
  • Politics
  • Exercise
  • Selfcare
  • Style
  • Vote
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • માતા-પિતા
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • કૃષિ
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • સરોગેસી દ્વારા માતા બની
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'ફુકરે'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • ક્રેન તૂટી પડતાં
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • હાઇકોર્ટ
  • સુપ્રિમ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • મકાનનો જર્જરિત
  • કરોડોની છેતરપિંડી
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up