પ્રશાંત કિશોર અંગે કોંગ્રેસના જી-23 નેતાઓ ગુસ્સે થઇ ગયા છે

HM News
2 Min Read

નવી દિલ્હી : કોંગ્રેસમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની ભૂમિકા અને પાર્ટીના પુનરૂદ્ધાર અંગેની તેમની યોજના અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે જી-૨૩ નેતાઓના એક વર્ગે કોંગ્રેસમાં તીવ્ર-વિભાજનના સંકેતો આપ્યા છે.આ સંકેતો તેવે સમયે મળી રહ્યા છે કે જ્યારે પ્રશાંત કિશોર સાથે સોનિયા ગાંધી અને અન્ય નેતાઓની ચર્ચામાં જી-૨૩ના નેતાઓને સામેલ કરાયા ન હતા.આ જી-૨૩માં પક્ષના વરિષ્ઠ નેતાઓ, પૂર્વ-મંત્રીઓ, અને વર્તમાન સાંસદો સામેલ છે.આ પૈકી કોઇ પણ પ્રશાંત કિશોર દ્વારા પ્રસ્તાવિત કોંગ્રેસના સુધારમાં ‘રોડ-મેપ’ ંઆ રણનીતિકારની ભવિષ્યની ભૂમિકા અંગેની ચર્ચામાં શામેલ નથી કરાયા.ગઇકાલે (રવિવારે) પત્રકારો સાથેની વાતચીતમાં જી-૨૩ નેતાઓ પૈકીના એક નેતાએ કહ્યું હતું કે, આ બહીષ્કાર અને અપમાનને લીધે તેમને ઘણું જ દુઃખ થયું છે.અમારા બહીષ્કાર અને અપમાન પછી એક ઊંડું વિભાજન અને ઊંડો અવિશ્વાસ જોવા મળે છે.જો મને પાર્ટીના પુનરોદ્ધાર સંબંધી ચર્ચામાંથી બહાર જ રાખવાના હતા તે પછી પક્ષ પ્રમુખ સોનિયા ગાંધી દ્વારા આ જૂથ સાથે સુલેહ-બેઠક યોજવાનો અર્થ જ શો છે? એક વરિષ્ઠ નેતાએ તો ત્યાં સુધી કહી દીધું કે, ઉચ્ચતમ સ્તરે જ વિશ્વાસ ભંગ કરાયો છે.આ સાથે તે વરિષ્ઠ નેતાએ પુછ્યું હતું કે એક જ રણનીતિકાર શું પક્ષનો પુનરોદ્ધાર કરી શકે? અને તે પણ જેમણે વર્ષો સુધી પક્ષની સેવા કરી છે.તે બધા કરતાં પણ સરળતાથી પક્ષની સ્થિતિ સુધારી શકે? શું મમતા બેનર્જી કે સ્ટાલિને કોઇ રણનીતિકારને પૂછ્યું છે કે, પાર્ટી કઇ રીતે ચલાવવી? આવી વિભાજિત કોંગ્રેસ કઇ રીતે ભાજપને ટક્કર આપી શકશે? તેમ પણ તે વરિષ્ઠ નેતાએ પૂછ્યું હતું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *