પંચમહાલ,તા.૨૬
પંચમહાલ જિલ્લાના શહેરાના પાટીયાપરા વિસ્તારમાં આંબાના વૃક્ષ પર ગળે ફાંસો ખાઇને પ્રેમી-પંખીડાઓએ આપઘાત કરી લીધો છે. મૃતક યુવક અને યુવતી એક જ જ્ઞાતિના હતા. યુવક વિધુર હતો અને યુવતીના છૂટાછેડા થયેલા હતા. પરિવાર અને સમાજ તેમનો આ સંબંધ નહીં સ્વીકારે તેવા ડરના કારણે અંતિમ પગલુ ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં જ બંનેના પરિવારજનો સ્થળ પર દોડી ગયા હતા અને શહેરા પોલીસ પણ પહોંચી ગઇ હતી અને બંનેના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ગોધરા ખાતે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રેમી-પંખીડાએ ઝાડ પર ગળે ફાંસો ખાઇને આપઘાત કરતા ખળભળાટ

Leave a Comment

