વિનયના વકિલે ચૂંટણી પંચમાં અરજી દાખલ કરી
ન્યુ દિલ્હી,તા.૨૦
નિર્ભયા ગેંગરેપ અને હત્યાના મામલામાં દોષી વિનય શર્માએ પોતાને ફાંસીની સજાથી બચવા માટે વધુ એક ચાલ ચાલી છે. મળતી જાણકારી મુજબ, દોષીએ સેલની દીવાલ સાથે પોતાનું માથું ફોડી દીધું છે, જેમાં તેને ઈજા થઈ છે. તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેની સારવાર કર્યા બાદ ફરી જેલ મોકલી દેવામાં આવ્યો છે.
વિનય શર્માને તિહાડ જેલના બેરેક નંબર-૩માં રાખવામાં આવ્યો છે. આ ઘટના ૧૬ ફેબ્રુઆરીએ બની હતી. સૂત્રો અનુસાર વિનયે સેલમાં પોતાનું માથું દીવાલ સાથે ભટકાવ્યું. જોકે તે ફરી આવું કરતો ત્યાં સુધીમમાં બહાર ઊભેલા સિપાહીએ તેને રોકી દીધો. મળતી માહિતી મુજબ દોષી વિનય પોતાને ફાંસીથી બચાવવા માટે ચાલ ચાલી રહ્યો છે. તે પોતાને મેડિકલ અનફિટ કરવાના પ્રયાસમાં છે જેથી તેની ફાંસી ટળી જાય. આ ઘટના બાદ ચારેફ દોષિતોને કડક ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી રહ્યા છે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે ત્રીજી વાર ડેથ વૉરન્ટ જાહેર થયા બાદથી જ દોષિતોતના વલણમાં ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે. તેમનું વલણ પહેલાથી વધુ આક્રમક થઈ ગયું છે. હવે તેમને નાની-નાની વાતો પર ગુસ્સો આવી રહ્યો છે. સીસીટીવી દ્વાર એક કર્મચારી સતત ચારેય દોષિતો પર નજર રાખી રહ્યા છે.
બીજી તરફ વિનય કુમારના વકીલ નવો પેંતરો અજમાવ્યો છે. વકીલે ચૂંટણી પંચમાં એક અરજી દાખલ કરી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, જ્યારે દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈને ૧૯ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ સમક્ષ વિનય કુમારની દયાની અરજી ફગાવી દેવાની ભલામણ કરી ત્યારે તેઓ મંત્રી પણ નહોતા અને ધારાસભ્ય પણ નહોતા.
વકીલે કહ્યુ હતુ કે, આ સંજોગોમાં દયા અરજી ફગાવી દેવાનુ ગેરકાયદેસર છે. કારણકે તે સમયે દિલ્હીમાં ચૂંટણી માટેની આચાર સંહિતા લાગુ હતુ. આ અરજીમાં ચૂંટણી આયોગને કાયદાકીય કાર્યવાહી કરવા માટે માંગ કરાઈ છે.
ફાંસીથી બચવાનો પેંતરો : નરાધમ વિનયે જેલમાં દિવાલ સાથે માથુ અથડાવ્યું
Leave a Comment