અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફરી એક વખત ગ્રૂપેઝમ અને નીપોટીઝમની ચર્ચા ઉભી થઈ છે.ઘણા લોકો બહારથી આવેલા નવા લોકોને પરેશાન કરે છે.આમાં બોલિવૂડના કેટલાક મોટા નામો સામેલ છે. દિગ્ગજ ગાયક સોનુ નિગમે પણ બોલિવૂડના મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં લોકોને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે.સોનુ નિગમે તાજેતરમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેમાં તેણે ઇન્ડસ્ટ્રીમાં મ્યુઝિક માફિયાઓ વિશે વાત કરી હતી.સોનુ કહે છે કે આ મ્યુઝિક માફિયા નવા અને પ્રતિભાશાળી ગાયકોના વિકાસમાં અવરોધે છે.સોનુએ કહ્યું કે ઘણા મોટા મ્યુઝિક ડિરેક્ટર અને ગાયકો પાસેથી કામ છીનવી લેવામાં આવ્યું કારણ કે કેટલાક મોટા કલાકારો તેમને કામ અપાવતા અટકાવે છે.સોનુએ કહ્યું કે,આ સંગીત માફિયા ફિલ્મો કરતા ઘણા મોટા છે.
સોનુએ એમ પણ કહ્યું હતું કે તેણે નાનપણથી જ કામ કરવાનું શરૂ કર્યું હતું પરંતુ આજના વાતાવરણમાં સંગીતકારો, લેખકો અને નિર્માતાઓ નવા ગાયકો સાથે કામ કરવા માંગે છે,પરંતુ મ્યુઝિક કંપની તેની સાથે કામ કરવાનો સંપૂર્ણ ઇનકાર કરે છે. તેમણે કહ્યું કે તેમણે પોતે આ બધાનો સામનો કર્યો છે પરંતુ હવે વાતાવરણ વધુ ખરાબ થઈ ગયું છે.
સોનુએ બોલીવુડ અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીને ચેતવણી આપી છે કે જો આ બધુ બંધ ન કરવામાં આવે તો બહુ મોટી વાત નથી કે ટૂંક સમયમાં જ આત્મહત્યા જેવા કિસ્સા સંગીતની દુનિયામાં પણ દેખાવા માંડશે.સોનુએ સુશાંતસિંહ રાજપૂતનાં મોત પર પણ દુખ વ્યક્ત કર્યું છે.