By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બનાસકાંઠા : અંબાજીમાં પોષી પૂનમે ઉજવાશે મા અંબાનો પ્રાગટ્યોત્સવ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > બનાસકાંઠા : અંબાજીમાં પોષી પૂનમે ઉજવાશે મા અંબાનો પ્રાગટ્યોત્સવ
GeneralReligious

બનાસકાંઠા : અંબાજીમાં પોષી પૂનમે ઉજવાશે મા અંબાનો પ્રાગટ્યોત્સવ

HM News
Last updated: 03/01/2023 11:02 AM
HM News
2 years ago
Share
SHARE

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 6 જાન્યુઆરીએ જગતજનની માં અંબાનો પ્રાગટયોત્સવ ધુમધામ થી મનાવવામાં આવનાર છે.આ દિવસે અંબાજીના માર્ગો પર માતાજીની ભવ્ય શોભા યાત્રા નીકળશે.ધાર્મિક ઉત્સવ સમિતિ અને શ્રી આરાસુરી અંબાજી માતાજી દેવસ્થાન મંદિર ટ્રસ્ટ દ્વારા તેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ વખતે કોરોનાના બે વર્ષ બાદ માતાજીની સવારી અંબાજી શહેરના રાજમાર્ગો ઉપર નીકળનાર છે. 29 મા વર્ષે નીકળનારી આ શોભાયાત્રા દરમિયાન માઇ ભક્તો આશીર્વાદ અને દર્શન કરી ધન્યતા અનુભવશે.સૂત્રોના જણાવ્યા મુજબ મા અંબાના પ્રાગટયોત્સવ માં માતાજીનું મૂળ સ્થાન એવા અંબાજી ગબ્બર પર્વતથી અખંડ જ્યોત નિજ મંદિરમાં મુખ્ય શક્તિદ્વાર ખાતે લાવવામાં આવશે.જ્યાંથી શોભાયાત્રા નો પ્રારંભ થશે.

અંબાજીમાં ત્રણ કિલોમીટર રૂટ ઉપર નીકળશે માતાજીની સવારી

જે ત્રણ કિલોમીટરના માર્ગ ઉપર ફરશે.શોભાયાત્રા દરમિયાન રૂટમાં 2100 કિલો સુખડીનો પ્રસાદ માઈ ભક્તોને અને દર્શનાર્થીઓને વિતરણ કરાશે.જ્યારે શોભાયાત્રામાં માતાજીની સવારી સાથે હાથીની અંબાડી,હાથી,ઘોડા સહિત અલગ અલગ 30 થી વધુ ઝાંખીઓ પ્રદર્શિત કરાશે.તેમજ વેશભૂષા અને વિવિધ કરતબો સાથે નૃત્ય કરતા કરતા લોકો આ શોભાયાત્રામાં જોડાશે.જે શોભાયાત્રાના મુખ્ય આકર્ષણો બની રહેશે.

એક દીપ મા કે નામ

ધામધૂમથી ઉજવાનારા માં અંબા ના પ્રાગટ્યોત્સવ પ્રસંગે અંબાજી નિવાસીઓ પોતાના ઘરે ઘરે અને વ્યાપારી પ્રતિષ્ઠાનોમાં સાંજના સમયે એક દીપ પ્રગટાવે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.જ્યારે શોભાયાત્રામાં જોડાતા હજારો માઇ ભક્તોની સેવામાં માર્ગો ઉપર અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠંડા પીણા અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે.આ પ્રાગટયોત્સવ ખરેખર અંબાજીમાં એક અલૌકિક માહોલ ખડો કરે છે.ત્યારે માર્ગોને સુશોભિત કરીને માતાજીની સવારીને આવકારવા લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

મહારાષ્ટ્રના જલગાંવમાં કુહાડી વડે ચાર બાળકોની નિર્દયી હત્યા, સમગ્ર પંથકમાં એરેરાટી
કોઈ પણ પક્ષમાં જોડાઈશ તો ડંકાની ચોટ પર કહીશ : હાર્દિક પટેલ
તબલીગી કાંડ : કોરોના શંકાસ્પદોએ તમામ હદો કરી પાર : નર્સો સામે કપડાં કાઢી થયા અર્ધ નગ્ન !
પયગંબર વિવાદ પર ક્રિકેટર ‘મોઈન અલી’એ ભારતને આપી ધમકી, ટ્વીટ થયુ વાયરલ
TEVA PHARMAએ ઓરોબિન્દો ફાર્મા સામે US કોર્ટમાં કેસ કર્યો
Share This Article
Facebook Email Print
Previous Article જમ્મુ-કાશ્મીરમાં હિન્દુઓ પરના હુમલામાં છનાં મૃત્યુ બાદ ભારે આક્રોશ
Next Article દોરીથી કોઈનું મૃત્યું કે ઈજા ચલાવી લેવાશે નહિ : ગુજરાત હાઇકોર્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up