બરેલીમાં મકાનની લાલચ આપીને 40 લોકોનું ધર્મ પરિવર્તન કરાવવાની ઘટનાનો પર્દાફાશ, એકની ધરપકડ

HM News
2 Min Read

લખનૌ : તા 30 મે 2022 સોમવાર : બરેલીના બિથરી વિસ્તારમાં મકાન આપવાની લાલચ આપીને 40 લોકોનુ ધર્મ પરિવર્તન કરાવવાની વાત સામે આવી છે.એક ગેંગના ચક્કરમાં ફસાઈને લોકોએ પોતાના ઘરની આગળ ક્રોસના નિશાન લટકાવી દીધા છે.માહિતી મળતા બિથરી પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી તો એક ઘરમાં 40 લોકો પ્રાર્થના સભા કરી રહ્યા હતા.પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

પોલીસનુ કહેવુ છે કે બિચપુરી ગામમાં ધર્મ પરિવર્તનની માહિતી સામે આવી રહી હતી.છેલ્લા કેટલાક દિવસથી સક્રિય લોકો જઈને લોકોના ઘરમાં પ્રાર્થના સભાઓ કરાવી રહ્યા હતા.આને લઈને હિંદુ સંગઠનના કેસરપુરના રહેવાસીએ પોલીસને માહિતી આપી.પોલીસ ઘટના સ્થળે પહોંચી તો એક ઘરની અંદર લગભગ 40 લોકો પ્રાર્થના કરી રહ્યા હતા.તેમણે બહારથી દરવાજો બંધ કરી લીધો હતો.પોલીસ દરવાજો ખોલાવીને ઘરની અંદર દાખલ થઈ.પૂછપરછ બાદ પોલીસે ગોરખપુરના રહેવાસી અભિષેક ગુપ્તાની ધરપકડ કરી છે.અભિષેક પર આરોપ છે કે મકાનની લાલચ આપીને તે લોકોનુ ધર્મ પરિવર્તન કરાવી રહ્યો હતો.પોલીસનુ કહેવુ છે કે તપાસ બાદ કેસ નોંધવામાં આવશે.

બિથરીના ઈન્સ્પેક્ટર એ જણાવ્યુ કે બિચપુરી ગામમાં ધર્મ પરિવર્તનની માહિતી મળી હતી.ઘટના સ્થળે પોલીસની ટીમ મોકલવામાં આવી.એક આરોપીની ધરપકડ કરાઈ છે.તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.ધર્મ પરિવર્તનની પુષ્ટિ થઈ નથી.આરોપી અભિષેક ગુપ્તા મેડિકલ કોલેજમાં કામ કરે છે.અભિષેક ગુપ્તા અમુક વર્ષ પહેલા પોતાનો ધર્મ પરિવર્તન કરાવી ચૂક્યા છે.ખ્રિસ્તી બન્યા બાદ તેઓ બરેલી આવ્યા. અન્ય લોકો પણ તેમની મદદ કરી રહ્યા છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *