By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બલેશ્વર દરગાહની જમીનની તપાસ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા સુરત રેન્જ આઈ.જી રાજકુમાર પાંડિયનને સોંપાઈ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > બલેશ્વર દરગાહની જમીનની તપાસ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા સુરત રેન્જ આઈ.જી રાજકુમાર પાંડિયનને સોંપાઈ
GeneralSouth Gujarat

બલેશ્વર દરગાહની જમીનની તપાસ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા સુરત રેન્જ આઈ.જી રાજકુમાર પાંડિયનને સોંપાઈ

HM News
Last updated: 19/03/2021 11:03 AM
HM News
4 years ago
Share
SHARE

પલસાણા : સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર મુકામે આવેલી બ્લોક નંબર 320 વાળી પીર નસરુદ્દીન દરગાહની વકફ જમીન તેમજ દરગાહ પર કેટલાક ઈસમો દ્વારા દીવાલ બાંધી જમીન ઉપર કબ્જો કરવાની ફરિયાદના આધારે ગુજરાત વકફ બોર્ડ દ્વારા સુરત રેન્જ આઈ જી ને આ અંગે તપાસનો હુકમ કરવામાં આવ્યો છે.

પીર નસીરુદ્દીન દરગાહના ખાદીમો બસીર અબ્બાસ શેખ,સઈદ ખાન દાઉદખાન પઠાણ સહિતના ખાદીમોએ સામાવાળા મુસાજી સુલેમાન પટેલ અને અન્ય 15 થી 20 ઇસમોના ટોળા સામે લેખિતમાં ફરિયાદ કરી ગુજરાત પોલીસ વડા અને ગુજરાત વકફ બોર્ડને કરવામાં આવી હતી ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ દરગાહની વકફ જમીનને ખોટા રેકર્ડ બનાવી મુસાજી અને અન્ય ઇસમો દ્વારા પોતાનો દસ્તાવેજ કરી લઈ અન્ય ઇસમોને આ દરગાહની વેચાણ કરી દીધેલ છે.આ જમીનમાં દેવ સ્થાન આવેલું છે.જેને તોડી નાખી જમીન પર કબજો કરવા સામાવાળા દ્વારા વારંવાર ખાદીમોને ધમકી આપવામાં આવી રહી છે.જમીન અમે વેચાણથી લીધી છે તમે અહીંથી જતા રહો આ દરગાહની માલિકી અમારી છે અને એ તોડી નાખવાના છે.એમ કહી વારંવાર ધમકી આપવામાં આવતી હતી આથી ખાદીમોએ જમીન મુદ્દે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ જિલ્લા કલેકટરને રજુઆત પણ કરવામાં આવી છે બીજી તરફ વારંવાર ધમકીને પગલે ખાદીમો અને દરગાહને નુકસાન પહોંચાડે તે પહેલાં સામા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે રાજ્ય પોલીસ વડાને ફરિયાદ કરવામાં આવી હતી અને વકફ બોર્ડને પણ ફરિયાદ કરતા ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા રેન્જ આઈ.જી રાજકુમાર પાંડિયનને આ સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી છે અને સ્થાનિક પોલીસની મદદથી દીવાલ બાંધી કબ્જો લેવાયો હોવાનું પણ લેટરમાં જણાવવામાં આવ્યું છે ત્યારે ધાર્મિક બાબત હોય તો આ અંગે યોગ્ય તપાસ થાય એ જરૂરી છે.

અરવલ્લીમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત ત્રણ લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા
ભારતની વિકાસ યાત્રામાં સહભાગી બનો : સિલિકોન વેલીમાં સીતારામનનું સંબોધન
Seborga : 300 માણસોનું ઈટાલીનું એક ગામ 1960થી કરી રહ્યું છે સ્વતંત્ર દેશની માંગણી, કારણ પણ છે રસપ્રદ
પોલીસને ચકમો આપી હવે ગુજરાતના 10 હજાર ખેડૂતો દિલ્હી ખેડૂત આંદોલન તરફ કૂચ કરશે
નુપુર શર્મા પર આકરા પ્રહારો કરનાર કતારમાં હિંદુઓને અંતિમ સંસ્કાર કરવાની પણ મંજૂરી નથી, ગલ્ફ દેશોની અર્થવ્યવસ્થા 76 લાખ ભારતીયો પર ટકી છે
Share This Article
Facebook Email Print
Previous Article અહો આશ્ચર્યમ! એક જ વર્ષમાં સાત કિમી રસ્તા પર 58.95 લાખનો ખર્ચ : બારડોલી નગરપાલિકામાં સફેદ-પીળા પટ્ટાનું કૌભાંડ!
Next Article પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, પોરબંદરના દરિયાકિનારેથી 35 માછીમારોને બનાવ્યા બંધક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up