અમદાવાદ,રવિવાર : બહેરામપુરામાં રહેતી પરિણિતાએ અલગ રહેવા માટે પોતે ઝેરી દવાના પીને પોતાના માસુમ પુત્રને પણ દવા પીવડાવી હતી.હાલમાં માતા-પુત્ર ગંભીર હાલતમાં જુદી જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.કાગડાપીઠ પોલીસે મહિલા સામે ખૂનની કોશિષનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કાગડાપીઠ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર એચ.સી.ઝાલાના જણાવ્યા મુજબ બહેરામપુરા વિસ્તારમાં પંડીત નહેરુ સ્કૂલ સામે નવરંગ સોસાયટીની ચાલીમાં રહેતા જિગ્નેશભાઇ ધનજીભાઇ પરમાર (ઉ.વ.૩૨)એ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની મંજુબહેન સામે ફરિયાદ નોધાવી છે કે બે દિવસ પહેલા તેમના ઘરમાં અલગ રહેવા બાબતે અંદરો અંદરો તકરાર થઇ હતી.ગઇકાલે ફરિયાદી યુવક નોકરી ગયા હતા ત્યારે બપોરે ૧ વાગે તેમના પત્નીએ ઝેરી દવા પીધી એટલું જ નહી પોતાના દોઢ વર્ષના પુત્રને પણ દવા પીવડાવી હતી.જેથી તેમની પત્નીને ગંભીર હાલતમાં એલ.જી.હોસ્પિટલમાં તથા પુત્રની તબિયત વધારે લથડી હોવાથી તેને ખાનગી હોેસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો હાલમાં તેની આઇસીયુમાં સારવાર ચાલી રહી છે.આ ઘટના અંગે કાગડાપીઠ પોલીસે તેમની પત્ની સામે કલમ ૩૦૭ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.