By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ બીજું એક ફરમાન, અઝાનના સમયે નહિ કરી શકે પૂજા અને કીર્તન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ બીજું એક ફરમાન, અઝાનના સમયે નહિ કરી શકે પૂજા અને કીર્તન
GeneralInternational

બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ બીજું એક ફરમાન, અઝાનના સમયે નહિ કરી શકે પૂજા અને કીર્તન

HM News
Last updated: 12/09/2024 6:32 AM
HM News
11 months ago
Share
SHARE

બાંગ્લાદેશ, 12 સપ્ટેમ્બર : બાંગ્લાદેશમાં શેખ હસીનાના સત્તા પરિવર્તન બાદથી હિન્દુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે.બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં કુલ 300 થી વધુ હિન્દુ પરિવારો અને તેમના ઘરો પર હુમલા કરવામાં આવ્યા છે અને હિંદુઓ વિરુદ્ધ મોબ લિંચિંગની ચાર ઘટનાઓ નોંધવામાં આવી છે. 10 થી વધુ હિન્દુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી અને આગ લગાવવામાં આવી હતી.ઉપરાંત, અત્યાર સુધીમાં 49 હિંદુ શિક્ષકોએ રાજીનામું આપી દીધું છે અને વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.બાંગ્લાદેશની હાલત પાકિસ્તાન જેવી થઈ ગઈ છે અને હિંદુઓની હત્યા કે હિંદુઓ વિરુદ્ધ કાર્યવાહી બંને સામાન્ય બની ગયા છે.એટલું જ નહીં, હિન્દુઓની હત્યા કરનારા આતંકવાદીઓને પણ જેલમાંથી છોડવામાં આવી રહ્યા છે અને વાત અહીં અટકતી નથી ત્યારે હવે દુર્ગા પૂજા પંડાલોમાં અઝાન વખતે પણ હિન્દુઓને પૂજા કરતા રોકવામાં આવી રહ્યા છે.

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે

બાંગ્લાદેશમાં દુર્ગા પૂજાનો તહેવાર 9 ઓક્ટોબરથી 13 ઓક્ટોબરની વચ્ચે ઉજવવામાં આવે છે,જેનું આયોજન બાંગ્લાદેશમાં અત્યાર સુધી ખૂબ જ ધૂમધામથી કરવામાં આવ્યું છે.જોકે આ વખતે એવું થવાનું નથી.કારણ કે બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં ગૃહ બાબતોના સલાહકાર અને નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ જાહેરાત કરી છે કે બાંગ્લાદેશમાં નમાઝ અને અઝાન દરમિયાન હિન્દુઓને લાઉડસ્પીકર પર પૂજા અને ભજન ગાવા પર પ્રતિબંધ રહેશે.જો કોઈ હિંદુ આ નિયમનું ઉલ્લંઘન કરતો જોવા મળશે તો પોલીસ દ્વારા કોઈપણ વોરંટ વગર તેની ધરપકડ કરવામાં આવશે.

નમાઝના સમયે પૂજા પર પ્રતિબંધ

આ અંગે બાંગ્લાદેશ સરકારનું કહેવું છે કે આવતા મહિને 9 ઓક્ટોબરથી 13 ઓક્ટોબરની વચ્ચે બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા પંડાલની સ્થાપના કરવામાં આવશે.પંડાલ સ્થાપનારી સમિતિઓએ જ આ નિયમનું પાલન કરવાનું રહેશે અને આ નિયમનું ઉલ્લંઘન ન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે.આ તમામ પંડાલમાં તમામ ધાર્મિક વિધિઓ બંધ કરવી અને અઝાનના 5 મિનિટ પહેલા પૂજા બંધ કરવી ફરજિયાત રહેશે.ઉપરાંત, અઝાન અને નમાઝ દરમિયાન લાઉડસ્પીકર પર હિંદુઓ દ્વારા ભજન સાંભળવા અને મંત્ર જાપ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.મતલબ કે હવે બાંગ્લાદેશની સરકાર સરમુખત્યારશાહી દ્વારા હિંદુઓની પૂજા પર પણ અંકુશ લગાવવાનો પ્રયાસ કરી રહી છે.

એક મહિનામાં કોરોનાની રસી શોધવાનો ભારતીય વૈજ્ઞાનિક પ્રિયા અબ્રાહ્મનો દાવો
બારડોલીમાં વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં વેપલો: કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું
ગંગા નદીમાં મળેલા 30 મૃતદેહ ક્યાંથી આવ્યા ? તપાસનો ધમધમાટ: રાજકારણ ગરમાયું: કલેક્ટરે કહ્યું, ક્યાંકથી વહીને આવ્યા છે !
અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ CR પાટીલ દિલ્હી પહોંચ્યા
BRAKING : સાંસદ મોહન ડેલકર આત્મહત્યાનો મામલો, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવી ચોંકાવનારી બાબત કે …
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાત : રેરાનો બિલ્ડરને આદેશ, ગ્રાહકોને બ્રોશરમાં જે સુવિધા દર્શાવો છો તે આપો
Next Article ‘ I will give you a child.. ‘એલોન મસ્કે, ટેલર સ્વિફ્ટને આવું કેમ કહ્યું? મચ્યો ખળભળાટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up