ઢાકા, તા. 9 ઓગસ્ટ : બાંગ્લાદેશના ખુલના જિલ્લામાં કટ્ટરપંથીઓની ભીડે 50 થી વધારે હિંદુઓના ઘરને નિશાન બનાવ્યુ.આ દરમિયાન ભીડે ચાર મંદિરને પણ પોતાની ચપેટમાં લીધા અને તોડફોડ કરી.બાંગ્લાદેશમાં લઘુમતી વિરૂદ્ધ હુમલા અત્યારના વર્ષમાં વધ્યા છે.આનુ એક કારણ હિફાજત-એ-ઈસ્લામ જેવા સંગઠનોનો દેશમાં ઝડપથી લોકપ્રિય હોવાનુ છે.માર્ચમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાની ઢાકા યાત્રા દરમિયાન વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
મૌલવીએ કર્યો ધાર્મિક જુલૂસનો વિરોધ
બંગાળી ભાષાના અખબાર સમકલ અનુસાર શુક્રવારે સાંજે જિલ્લાના સિયાલી ગામમાં સ્થાનિક મસ્જિદના મૌલવીએ હિંદુ ધાર્મિક જુલૂસનો વિરોધ કર્યો.જે બાદ કટ્ટરપંથીઓની ભીડ ઉશ્કેરાઈ અને શનિવારે સાંજે ગામના હિંદુ ઘર પર હુમલો કરી દીધો.ઘટના સ્થળે હાજર લોકોના હવાલાથી મીડિયા રિપોર્ટસમાં કહેવામાં આવ્યુ છે કે ગુસ્સાઈ ભીડમાં કથિત રીતે આસપાસના ગામમા મુસલમાન સામેલ હતો.હુમલાખોરોએ કુલ્હાડી અને બીજા હથિયારોનો ઉપયોગ હુમલા દરમિયાન કર્યો હતો.
10 લોકોની ધરપકડ કરાઈ
આ દરમિયાન વિરોધ કરનારા કેટલાક હિંદુ ઈજાગ્રસ્ત થઈ ગયા. અત્યારની સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ છે અને કાયદાના અમલીકરણની તપાસ કરી રહ્યા છે.પોલીસે કેટલાક હિંદુ મંદિર,ઘર અને દુકાનોમાં તોડફોડના સંબંધમાં નોંધાયેલા મામલે હજુ સુધી 10 લોકોની ધરપકડ કરાઈ છે.સ્થાનિક સમુદાયના નેતાઓનુ કહેવુ છે કે ક્ષેત્રમાં પહેલીવાર કોઈ સાંપ્રદાયિક હિંસાની ખબર મળી છે.પોલીસ અનુસાર શનિવારે સાંજે લગભગ પાંચ વાગીને 45 મિનિટ પર લગભગ 100 હુમલાખોરો ગામ પહોંચ્યા.તેમણે હથિયારો સાથે તોડફોડ કરી અને ચાર મંદિરને ઉજાડી દીધો. ગામના હિંદુ સમુદાયની છ દુકાનો અને મકાનોમાં પણ તોડફોડ કરવામાં આવી.
VHPએ કરી તપાસની માગ
2011ની સંઘીય જનગણના અનુસાર બાંગ્લાદેશની 149 મિલિયન જનસંખ્યામાં લગભગ 8.5 ટકા લોકો હિંદુ ધર્મનુ પાલન કરે છે. ખુલના જિલ્લામાં મોટી સંખ્યામાં હિંદુ સમુદાયના લોકો રહે છે.અહીં 16 ટકા લોકો હિંદુ ધર્મનુ પાલન કરે છે જે રાષ્ટ્રીય સરેરાશથી વધારે છે.આ ઘટનાએ ભારતમાં પણ આક્રોશને પ્રોત્સાહન આપ્યુ છે.વિશ્વ હિંદુ પરિષદે હુમલાને અંજામ આપનારા લોકો વિરૂદ્ધ તપાસની માગ કરી છે.