By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજથી 3 જૂન સુધી ગુજરાતના મહેમાન બનશે, જાણો ક્યાં અને ક્યારે યોજાશે દિવ્ય દરબાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજથી 3 જૂન સુધી ગુજરાતના મહેમાન બનશે, જાણો ક્યાં અને ક્યારે યોજાશે દિવ્ય દરબાર
AhmedabadGeneral

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજથી 3 જૂન સુધી ગુજરાતના મહેમાન બનશે, જાણો ક્યાં અને ક્યારે યોજાશે દિવ્ય દરબાર

HM News
Last updated: 25/05/2023 8:44 AM
HM News
2 years ago
Share
Pic : FB
SHARE

રાજ્યમાં કોઇ મોટા નેતા આવી રહ્યા હોય અને તૈયારી થઇ રહી હોય તેવી તૈયારી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમનની થઇ રહી છે.આજથી ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે છે.પાંચ મોટા શહેરમાં દિવ્ય દરબાર યોજવાના છે.તેને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.લાખો અનુયાયીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા એવા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજે 3 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે.અહીંથી તેમના ગુજરાત પ્રવાસની શરૂઆત થશે.

ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ નીચે મુજબ છે.

– 25 મે અમદાવાદમાં બપોરે 3 વાગ્યે પહોંચશે
– 3 વાગ્યે વટવામા ઓશિયા મોલ સામે શિવ મહાપુરાણ કથામાં હાજરી આપશે
– કથા દરમિયાન ભક્તોને સંબોધનની સાથે આર્શીવાદ પણ આપશે
– 26 અને 27 મેના રોજ સુરતના લિંબાયતમાં દિવ્ય દરબાર યોજાશે
– 28 મેના રોજ અમદાવાદનાં ચાંદખેડા નજીક ઝુંડાલમાં કાર્યક્રમ
– 29 અને 30મેના રોજ અમદાવાદના ઘાટલોડિયામાં ચાણક્યપુરીમાં કાર્યક્રમ
– 1 અને 2 જૂન રાજકોટના રેસકોર્સ મેદાન પર દિવ્ય દરબાર યોજાશે
– 3 જૂને વડોદરામાં નવલખી મેદાનમાં દિવ્ય દરબાર યોજાશે

25 મેથી 3 જૂન સુધી ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના જુદા જુદા શહેરોમાં ફરીને દિવ્ય દરબાર યોજશે.અમદાવાદ,વડોદરા,રાજકોટ,ગાંધીનગર અને સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમો આજથી યોજાવાના છે.ત્યારે તેમની સાથે મોટી સંખ્યામાં તેમનો સુરક્ષા સ્ટાફ અને વિવિધ રાજ્યોમાંથી પણ ભક્તો આવી શકે છે.આ વચ્ચે લાખોની સંખ્યામાં ભક્તો પણ હાજર રહી શકે છે.આ માટે તેમની સુરક્ષા માટે 500થી વધુ ખાનગી બાઉન્સરો રાખવામાં આવશે,તો 1500થી વધુ સ્વયંસેવકો તેમજ હજારોની સંખ્યામાં પોલીસ કર્મચારીઓ પણ ખડેપગે રહેશે.અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ બાગેશ્વર બાબાને Y સિક્યોરિટી આપવામાં આવી છે.આ સાથે જ ધીરેન્દ્ર શાસ્ત્રીના આ તમામ કાર્યક્રમો નિઃશુલ્ક યોજાવાના છે.આ માટે મુલાકાતીઓ પાસેથી કોઈ ચાર્જ લેવામાં નહીં આવે.

વોર ફીવર વધતાં ઝવેરી બજારમાં તેજીનો પારો ઉંચો ચડયો : સોનું ઉછળી રૂ.55 હજાર જ્યારે ચાંદી વધી 71 હજાર
યુએનની નાગરિકતા સંશોધન કાયદામાં દખલ માટે સુપ્રીમમાં અરજી, ભારતે કહ્યું- અમારી આંતરિક બાબત છે
લદ્દાખમાં દેખાયા ચીની હેલીકોપ્ટર, IAFએ રવાના કર્યા ફાઇટર જેટ
કર્ણાટક : યેદિયુરપ્પાથી ભાજપના ૧૦ થી વધુ ધારાસભ્યો નારાજ : હાઈકમાન્ડમાં ફરિયાદ કરશે
માનવતા માટે યોગ : આજે વિશ્વભરમાં ઉજવણી
Share This Article
Facebook Email Print
Previous Article શિર્ડી મંદિરની વાર્ષિક આવક 900 કરોડ : કોવિડ પૂર્વેનો રેકોર્ડ તોડયો
Next Article ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10નું 64.62% પરિણામ જાહેર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up