– ઉત્તરાખંડમાં સેના જીતી ગઇ, સેનાપતિ પુષ્કર હાર્યા પંજાબ,ગોવામાં આપના સામાન્ય ઉમેદવારોએ ચાર પૂર્વ-વર્તમાન મુખ્યમંત્રીઓને હંફાવ્યા,ચન્નીએ બન્ને બેઠકો ગુમાવી
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ,પંજાબ સહિતના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરીણામો ઘણા દિગ્ગજ નેતાઓ માટે આઘાતજનક સાબિત થયા છે.આ ચૂંટણીમાં બે વર્તમાન અને પાંચ પૂર્વ મુખ્યમંત્રીઓ પણ ચૂંટણી હારી ગયા હતા.
જેમાં પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીનો સમાવેશ થાય છે.આ બન્ને મુખ્યમંત્રી પદ પર હોવા છતા પોતાના મતવિસ્તારમાં ચૂંટણી હારી ગયા છે.
તેવી જ રીતે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશસિંહ રાવત,પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ અને કેપ્ટન અમરિંદરસિંહ પણ ચૂંટણી હારી ગયા છે.ભાજપ ભલે ચાર રાજ્યોમાં જીતી ગયું હોય પણ તેમના ઉત્તરાખંડના વર્તમાન મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ચૂંટણી હારી ગયા હોવાથી ભાજપ ઉત્તરાખંડમાં શરમજનક સિૃથતિમાં મુકાયું હતું.
કેમ કે ઉત્તરાખંડમાં ભાજપ માટે સેના જીતી ગઇ પણ સેનાપતિ હારી ગયા જેવી સિૃથતિ ઉભી થઇ હતી.પંજાબમાં ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ધુળ ચાંટતા કરી દીધા હતા.જેમાં કેપ્ટન,બાદલ અને રાજિન્દર કૌરનો સમાવેશ થાય છે.
કોંગ્રેસના નેતા અને મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની બે બેઠકો ભદૌરા અને ચમકૌરથી ચૂંટણી લડયા હતા.જોકે બન્ને બેઠકો પર તેઓ હારી ગયા છે.અકાળી દળના નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી સુખબિરસિંહ બાદલ પણ આપના ઉમેદવાર સામે ચૂંટણી હાર્યા છે.
પંજાબમાં મોટા ભાગના વર્તમાન અને પૂર્વ મુખ્યમંત્રીઓ આપના ઉમેદવારોની સામે હારી ગયા છે.ગોવામાં પૂર્વ મુખ્યમંત્રી અને ટીએમસીના ઉમેદવાર ચર્ચિલ આલેમાઓ પણ ચૂંટણી હારી ગયા છે.તેની સામે આપના ઉમેદવારે જીત મેળવી હતી.