બાબરી વિધ્વંસ મામલે લખનૌની વિશેષ અદાલતનો ચુકાદો આવી ગયો છે.આ ચુકાદામાં લાલકૃષ્ણ અડવાણી,મુરલી મનોહર જોશી સહિત કુલ 32 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.બીજેપી નેતા લાલકૃષ્ણ અડવાણીએ અદાલતના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી,તેમણે કહ્યું કે જે નિર્ણય સંભળાવવામાં આવ્યો છે તે ઘણો મહત્વનો છે.અમાણા બધા માટે ખુશીની ક્ષણો છે.
બીજેપી નેતા મુરલી મનોહર જોશીએ આપ્યું નિવેદન
લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું કે,ઘણા દિવસો પછી સારા સમાચાર મળ્યા છે.બસ એટલું કહેવા ઇચ્છીશ કે જય શ્રીરામ.બુધવારના ચુકાદા બાદ લાલકૃષ્ણ અડવાણીએ તેમના ઘરની બહાર એકત્રિત થયેલા સમર્થકો માટે મિઠાઈ પણ વહેંચાવી.બીજેપી નેતાએ આ દરમિયાન પાર્ટી કાર્યકર્તાઓ અને વકીલોનો આભાર માન્યો.તો કૉર્ટના ચુકાદા બાદ બીજેપી નેતા મુરલી મનોહર જોશીએ નિવેદન આપ્યું અને અદાલતના ચુકાદાનું સ્વાગત કર્યું.
ઉદ્દેશ દેશની મર્યાદાઓને સામે રાખવાનો હતો
તેમણે કહ્યું કે,રામ મંદિર આંદોલન એક ઐતિહાસિક પળ હતી.બીજેપી નેતાએ કહ્યું કે અદાલતે આજે એક ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો.હું તમામ વકીલો જેમણે શરૂઆતના દિવસથી દરેક સ્તર પર આ કેસમાં સાચા તથ્યોને કૉર્ટમાં રાખ્યા.આ તેમના પરિશ્રમ અને લોકોની સાક્ષીથી આ ચુકાદો આવ્યો છે.મુરલી મનહોર જોશીએ કહ્યું કે,રામ મંદિર આંદોલન એક ઘણો મહત્વનો સમય હતો.આનો ઉદ્દેશ દેશની મર્યાદાઓને સામે રાખવાનો હતો.હવે રામ મંદિરનું નિર્માણ પણ થવા જઇ રહ્યું છે, જય જય સિયા રામ, સબકો સન્મતિ દે ભગવાન.
કૉર્ટે કેસમાં તમામ 32 આરોપીને નિર્દોષ જાહેર કર્યા
આ ઉપરાંત ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહે પણ કૉર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું.ઉલ્લેખનીય છે કે કલ્યાણ સિંહે ગાઝિયાબાદની હૉસ્પિટલમાં આ ચુકાદો સાંભળ્યો.સીબીઆઈની વિશેષ અદાલતે બુધવારના પોતાનો ચુકાદો સંભળાવ્યો અને કહ્યું કે આ ઘટના પૂર્વ આયોજિત નહોતી,પરંતુ અચાનક બની.આ કહેતા કૉર્ટે કેસમાં તમામ 32 આરોપીને નિર્દોષ જાહેર કર્યા.સીબીઆઈ તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે તેમના તરફથી અત્યારે કોઈ સત્તાવાર ટિપ્પણી આપવામાં આવી નથી. એટલે કે સીબીઆઈ અત્યારે આગળની એક્શનનો ઇંતઝાર કરશે.