– બાયર~35 NM3પ્રતિકલાકક્ષમતાવાળો ઓક્સિજનપ્લાન્ટ વાપીની સ્થાનિક હોસ્પિટલમાં સ્થાપ્યો.
– 50 બેડની હોસ્પિટલને ઉચ્ચ ગુણવત્તાવાળા મેડીકલ-ગ્રેડના ઓક્સિજનદ્વારા સહાયપૂરી પાડીશકાશે.
– આ પ્રયત્નોનો હેતુ હોસ્પિટલની કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે તેમજ ભવિષ્યની જરૂરિયાતોને સંતોષવા ઇન-હાઉસ ઓક્સિજન ક્ષમતા વધારવાનો છે.
– બાયરની વાપી ખાતેની સાઇટમાં રહેલા પ્રવર્તમાન નાઇટ્રોજન પ્લાન્ટને પરિવર્તિત કરીને ફક્ત ત્રણ સપ્તાહના ઓછા સમયમાં ઓક્સિજનપ્લાન્ટમાં રૂપાંતર કરવામાંઆવ્યું.
વાપી : ભારતમાં કોવિડના કેસ વધી રહ્યા છે અને મેડીકલ ગ્રેડનાઓક્સિજનની વધુ માંગછે ત્યારે ભારતમાં 125 વર્ષથી હાજરી ધરાવતી ગ્લોબલ લાઇફ સાયંસ કંપની બાયરદ્વારા ગુજરાતમાં વાપી ખાતે આવેલી હરિઆએલ.જી. રોટરી હોસ્પિટલખાતે ઓક્સિજનપ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે.ઓક્સિજનપ્લાન્ટ આજે સત્તાવાર રીતે કાર્યરત કરાયો છે અને બાયરવાપી પ્રા. લિમીટેડનાડાઈરેક્ટર અને સાઇટ મેનેજર શ્રીનરેન્દ્ર શાહ દ્વારાહરિઆએલ.જી. રોટરી હોસ્પિટલ,વાપીના સુપ્રીન્ટેન્ડન્ટ ડૉ. એસ.એસ. સિંઘને સમર્પિતકરવામાં આવ્યોછે.
બાયરવાપી પ્રા. લિમીટેડના ડાઈરેક્ટરઅને સાઇટ મેનેજર શ્રી નરેન્દ્ર શાહે જણાવ્યું હતુ કે, “અમે ભારતની કોવિડ-19 સામેની લડાઇમાં અમારીસહાય આપવા માગીએ છીએ.હરિઆએલ.જી. રોટરી હોસ્પિટલખાતે ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટની સ્થાપના આ દિશામાં એક નાનુ પગલુ છે, જેથી વાપી અને આસપાસના શહેરોના દર્દીઓના આરોગ્ય અને જિંદગીનું રક્ષણ આપવામાં યોગદાન પૂરુ પાડી શકાય.અમે અમારા કર્મચારીઓ,હિસ્સેદારો અને સ્થાનિક સમુદાય કોવિડ-19 રોગચાળાની વિનાશક અસરો સામે મજબૂત બનીને બહાર આવે તે માટે સહાય આપવાની સંપૂર્ણ પ્રતિબદ્ધતા જણાવીએ છીએ.”
બાયર વાપી સાઇટ ખાતે કલાક દીઠ 200NM3ની ક્ષમતાવાળા પોતાના પ્રવર્તમાન નાઇટ્રોજન પ્લાન્ટને રૂપાંતરીતકરી ત્રણ સપ્તાહ જેટલા ઓછા સમયમાં ઓક્સિજનપ્લાન્ટની સ્થાપના કરી છે, જે91થી 93% જેટલા શુદ્ધતા સ્તરવાળા મેડીકલ ગ્રેડ ઓક્સીજન ગ્રેડનું ઉત્પાદન કરી શકાય.આ પ્લાન્ટ પ્રતિકલાક~35NM3ઓક્સિજનની (દૈનિક 1.18 મેટ્રિક ટનની) ક્ષમતા ધરાવે છે અને તે કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે ચોવીસ કલાક ઓક્સિજન સપ્લાય પૂરો પાડશે,તેમજ 50 બેડ સુધી 10 લિટરપ્રતિમિનીટ મેડીકલ-ગ્રેડના ઓક્સિજનના અવિરત પ્રવાહ પૂરો પાડશે.વધુમાં, આ પ્લાન્ટ 2000 લિટર્સની ક્ષમતાવાળી ઓક્સિજનસ્ટોરેજ ટેન્ક પણ ધરાવે છે.
ગુજરાતમા વાપી ખાતેની હરિઆએલ.જી. રોટરી હોસ્પિટલકુલ 200 બેડ ધરાવે છે,જેમાંથી 52 બેડ ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઇસીયુ)માં છેતેમજહોસ્પિટલ કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે 75 બેડ ધરાવે છે. “અત્યાર સુધી અમે ઓક્સિજનસિલીંડર્સના સપ્લાય માટે ખાનગી કોન્ટ્રેક્ટરો પર નિર્ભર હતા અને પુરવઠાને ફરીથી ભરવા માટે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરતા હતા. ઓક્સિજનપ્લાન્ટ સ્થાપવાથી લઇને ટેસ્ટીંગ,તાલીમ અને લાગુ પાડવા માટે અંત સુધીનો સાથઆપવા માટે અમે બાયરના આભારી છીએ.આ ઇન-હાઉસ સવલત અમને ગંભીર દર્દીઓની વધુ આત્મવિશ્વાસથી સારવાર કરવામાં મદદ કરશે અને ભવિષ્યની જરૂરિયાતો માટેઅમને વધુ સારી રીતે સજ્જ બનાવશે,” એમ વાપી ખાતે હરિઆએલ.જી. રોટરી હોસ્પિટલના મેડીકલ સર્વિસીઝના સુપ્રીન્ટેન્ડન્ટડૉ. એસ.એસ. સિંઘે જણાવ્યું હતુ.
ઓક્સિજનપ્લાન્ટ સ્થાપવા ઉપરાંત બાયરે વિગતવાર જોખમ સંચાલન,મલ્ટીપલ ટ્રાયલ્સ અને ગુણવત્તા નિયંત્રણો પણ હાથ ધર્યા છે જેથી ઓક્સિજનપાઇપલાઇનમાં યોગ્ય દબાણ જાળવી શકાય અને લિકેજ ટાળી શકાય.પ્લાન્ટ ખાતે ઉત્પાદિત ઓક્સિજનની શુદ્ધતાની લેબોરેટરી દ્વારા ખાતરી કરવામાં આવી છે જેથી જરૂરી સ્પેસિફિકેશન્સવાળો મેડીકલ ગ્રેડનો ઓક્સિજનહોસ્પિટલ્સને મળી રહે છે તે સુનિશ્ચિત કરી શકાય. આ પ્રોજેક્ટ બાયરની કોવિડ-19ના ઉદભવ સામે લડવા ભારતભરમાં મોટી કોર્પોરેટ સામાજિક જવાબદારીનો એક ભાગ છે.બાયરે વધુમાં જરૂરિયતવાળા સ્થાનિક સમુદાયને સેવા પૂરી પાડવા માટે ફ્રન્ટલાઈનવર્કર્સને ફેસ માસ્ક વિતરણ કર્યુ છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિજનકોન્સટ્રેટર્સની સહાય કરી છે.