બારડોલી : સુરત જિલ્લા ભાજપા પ્રમુખ સંદીપભાઈ દેસાઈની સૂચના અનુસાર તથા બારડોલી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય અને રાજ્ય સરકારના માનનીય કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના માર્ગદર્શનથી બારડોલી ભાજપ સંગઠન પ્રમુખ રાકેશ ગાંધીની આગેવાનીમાં ડો. શ્યામા પ્રસાદ મુખરજીની પુણ્યતિથિ 23.06.2021 ના બલિદાન દિવસ થી દરરોજ બારડોલી નગરના જુદા જુદા વોર્ડમાં વૃક્ષારોપણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.