By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બાર અને બેંચના સમન્વયથી કેસોનો ઝડપી નિકાલ શકય છે : ચીફ જસ્ટિસ અરવિંદકુમાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > બાર અને બેંચના સમન્વયથી કેસોનો ઝડપી નિકાલ શકય છે : ચીફ જસ્ટિસ અરવિંદકુમાર
AhmedabadGeneral

બાર અને બેંચના સમન્વયથી કેસોનો ઝડપી નિકાલ શકય છે : ચીફ જસ્ટિસ અરવિંદકુમાર

HM News
Last updated: 25/11/2022 9:48 AM
HM News
3 years ago
Share
SHARE

– ફોજદારી કોર્ટ ખાતેના કાર્યક્રમમાં વકીલોને ભવની સલાહ

અમદાવાદ,તા.25 નવેમ્બર 2022,શુક્રવાર : બાર અને બેંચ એ રથના બે પૈડા છે,તેમની વચ્ચે જો અસરકારક સમન્વય હોય તો કોર્ટોમાં પડતર કેસોનો ઝડપી અને અસરકારક નિકાલ શકય છે એમ ચીફ જસ્ટિસ અરવિદકુમારે અત્રે ઘી કાંટા ફોજદારી કોર્ટ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં વકીલોને શીખ આપતાં જણાવ્યું હતું.ચીફ જસ્ટિસે નીચલી કોર્ટોમાં પડતર કેસોને લઇને ચિંતા વ્યકત કરી હતી અને કેસોના નિકાલની કામગીરીમાં વકીલોએ પણ એટલી જ તૈયારી અને માનસિકતા સાથે આગળ આવવા અનુરોધ કર્યો હતો.

નીચલી કોર્ટોમાં વકીલો પૂરતી તૈયારી સાથે આવે તો કેસોના ઝડપી નિકાલની કામગીરી વધુ અસરકારક રીતે થઇ શકે, ભારણ ઘટી શકે

શહેરની ઘી કાંટા ફોજદારી કોર્ટ ખાતે અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશનના યોજાયેલા સ્નેહમિલનના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ચીફ જસ્ટિસ અરવિંદકુમારની સાથે ફોજદારી કોર્ટોના યુનિટ જજ એવા હાઇકોર્ટના જસ્ટિસ એ.જે.દેસાઇ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મેટ્રોપોલીટન કોર્ટોના ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ જે.બી.પરીખ દ્વારા ગુજરાત બાર કાઉન્સીલના શિસ્ત સમિતિના ચેરમેન અનિલ સી.કેલ્લા સહિત ફોજદારી કોર્ટના ૨૬ વકીલોનું બહુમાન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ચીફ જસ્ટિસ અરવિંદકુમારે વકીલઆલમને ઉદ્દેશીને સંબોધન કરતાં જણાવ્યું કે, જયુડીશીયરી અને વકીલઆલમ એકબીજાના પૂરક છે,તેથી બંને વચ્ચે અસરકારક તાલમેલ અને સમન્વય બહુ જરૂરી છે.જયુડીશીયરીમાં કેસોના ઝડપી નિકાલ માટે આ સમન્વય બહુ મહત્વનો ભાગ ભજવી શકે છે.ખાસ કરીને જો નીચલી કોર્ટોમાં વકીલો કેસની તમામ તૈયારી કરીને આવે અને દલીલો કરે તેમ જ પુરાવા રજૂ કરે તો કેસોના ઝડપી નિકાલની કામગીરી વધુ ઝડપી બની શકે.જે આપણને પડતર કેસોનું ભારણ ઘટાડવામાં અને તેના નિકાલ માટે બહુ મદદરૂપ થઇ શકે.

મારા પિતાએ સમાજમાં ક્રાંતિ લાવવામાં એડવોકેટ મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેવા નિર્ધાર સાથે મારી કારકિર્દીનું આ વ્યવસાયમાં ઘડતર કર્યું એમ કહેતાં ચીફ જસ્ટિસ ઉમેર્યું કે, સમાજમાં વકીલોનું એક આગવુ સ્થાન અને મહત્વ છે,તેથી સામાજિક ઘડતરમાં પણ વકીલોની મહત્વની ભૂમિકા બની રહે છે.વકીલો ગરીબ,જરૂરિયાતમંદ અને ન્યાયવાંચ્છુ પક્ષકારોને ઝડપી અને અસરકારક ન્યાય અપાવવા માટે પણ સદાય તત્પર રહેવું જોઇએ,જે તેમના વ્યવસાયિક ચરિત્રને વધુ દિપાવશે.આ પ્રસંગે જસ્ટિસ એ.જે.દેસાઇએ પણ પ્રાસંગિક ઉદ્બબોધન કરવામાં આવ્યું હતું.અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશન તરફથી ચીફ જસ્ટિસ અરવિંદકુમાર અને જસ્ટિસ એ.જે.દેસાઇનું આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું.

અત્યાર સુધીનો સૌથી મોટો ટ્વીટર એટેક કરનાર યુ.એસ.ના 17 વર્ષીય યુવાનની ધરપકડ
5 લાખના આર્મ લાયસન્સના દર, ખેડૂતથી લઈને માલિશ તેલની લાંચ… જાણો IAS ઓફિસર કે રાજેશ કેવી રીતે CBIના ચુંગાલમાં ફસાયા?
પત્રકાર જે.ડે હત્યા કેસના આરોપી ને જામીન આપવાનો હાઈકોર્ટનો ઈનકાર
PSI કેડરની ભરતી માટે ઉમેદવારો 20મી ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકશે
દેશ ફરકાવી રહ્યો છે તિરંગા ત્યારે યુપીના એક ઘર પર ફરકાવાયો પાકિસ્તાનનો ઝંડો : સ્થાનિકોમાં આક્રોશ
Share This Article
Facebook Email Print
Previous Article ચૂંટણી પ્રચાર દરમિયાન બાવળામાં PM મોદીની સભામાં મોટી સુરક્ષા ચૂક, જાણો શું છે ઘટના
Next Article સાણંદના પ્રાંત અધિકારી રાજેન્દ્ર પટેલની હત્યા કે આપઘાત : CBI તપાસની માંગ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up