ન્યુ દિલ્હી,તા.૨૦
બાવીસમા કાયદા પંચની રચનાને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી હતી. પંચ જટિલ કાનૂની પ્રશ્ર્ને સરકારને સલાહ આપે છે. અગાઉના કાનૂની પેનલની મુદત ૩૧, ઑગસ્ટે પૂર્ણ થઈ હતી. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ કાનૂન મંત્રાલય નવી પેનલ માટે નોટીફાઈ કરશે જેની મુદત ત્રણ વર્ષની રહેશે.
પેનલમાં સંપૂર્ણ સમયના ચેરપર્સન રહેશે તે ઉપરાંત ચાર સભ્યો હશે. કાનૂન મંત્રાલયના લેજીસ્લેટીવ સેક્રેટરી પણ સભ્ય રહેશે. સામાન્યપણે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ અથવા હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ કમિશનના વડા રહે છે.
કમિશનની રચના ૧૯૫૫માં કરાઈ હતી. દર ત્રણ વર્ષે પુનઃગઠન થાય છે. અત્યાર સુધીમાં પંચે ૨૭૭ રિપોર્ટ સુપરત કર્યા છે.
નિવૃત્ત જસ્ટિસ બી. એસ. ચૌહાણના વડપણ હેઠળના ૨૧મા કાયદા પંચે જે રિપોર્ટ સુપરત કર્યો હતો તેમાં લોકસભા – રાજ્યસભાની ચૂંટણી એકસાથે યોજવી તથા યુનિફોર્મ સિવિલ કોડ વિશે રજૂઆત કરાઈ હતી.
બાવીસમા કાયદા પંચની રચનાને મોદી કેબિનેટની મંજૂરી
Leave a Comment