By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બિલ ગેટ્સની ચેતવણી,વિશ્વ મહામારીના સૌથી ખરાબ સમયમાં પ્રવેશી શકે છે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > બિલ ગેટ્સની ચેતવણી,વિશ્વ મહામારીના સૌથી ખરાબ સમયમાં પ્રવેશી શકે છે
GeneralInternational

બિલ ગેટ્સની ચેતવણી,વિશ્વ મહામારીના સૌથી ખરાબ સમયમાં પ્રવેશી શકે છે

HM News
Last updated: 22/12/2021 9:48 AM
HM News
4 years ago
Share
Bill Gates, co-chair and trustee, Bill & Melinda Gates Foundation poses for a portrait after an interview with EFE, Spanish News channel, at the Jumeirah at Etihad Towers in Abu Dhabi April 24, 2013.
SHARE

વોશિંગ્ટન : કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોનનો હાલ દુનિયાના મોટાભાગના દેશોમાં પગપેસારો કરી ચૂક્યો છે.અમેરિકા અને યુકેમાં પણ ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે.ભારતમાં પણ ઓમિક્રોનના 200થી વધુ કેસ નોંધાયા છે.ઓમિક્રોનના ઝડપથી વધી રહેલા કેસને જોતા માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે ચિંતા વ્યક્ત કરી છે.બિલ ગેટ્સે ચેતવણી આપતા જણાવ્યું કે દુનિયા મહામારીના સૌથી ખરાબ સમયમાં પ્રવેશ કરી શકે છે.ગેટ્સના મતે કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટની અત્યાર સુધી સૌથી ખરાબ વૃદ્ધિ જોવા મળી છે.

બિલ ગેટ્સે ટ્વીટ કરીને જણાવ્યું કે,તેમણે પોતાની રજાઓના આયોજનો રદ કર્યા છે,કારણ કે તેમના અનેક મિત્રો કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી સંક્રમિત થયા હોવાનું જણાયું છે.ગેટ્સે વધુમાં જણાવ્યું કે,ઓમિક્રોન કોઈપણ વાયરસની તુલનાએ સૌથી ઝડપથી ફેલાઈ રહ્યો છે.ઓમિક્રોનના કેસો ટૂંક સમયમાં અન્ય દેશોમાં પણ જોવા મળશે.

ડેલ્ટના તુલનાએ ઓમિક્રોન વેરિયન્ટ ઓછો ગંભીર હોવાનું જણાય છે પરંતુ તેના કેસોમાં સૌથી વધુ ઉછાળો જોવાશે કારણ કે તે વધુ ચેપી છે તેમ ગેટ્સે જણાવ્યું હતું. લોકોને કોરોના વાયરસની રસીના બૂસ્ટર ડોઝ લેવાની સલાહ આપતા કહ્યું કે,આ સૌથી વધુ સુરક્ષા આપે છે.લોકોએ એકબીજાનું ધ્યાન રાખવું પડશે,ખાસ કરીને એવા લોકોનું જે વધુ બીમાર હોય અને સંવેદનશીલ હોય.આ વાયરસથી બચવા ગેટ્સે માસ્ક પહેરવા,મોટા મેળાવડાથી બચવા અને વેક્સિન લગાવવા અપીલ કરી હતી.

2022માં મહામારીનો અંત આવી શકે : બિલ ગેસ્ટે જણાવ્યું કે,એક સારા સમાચાર પણ છે.ઓમિક્રોન એટલી ઝડપથી ફેલાય છે કે તે કોઈ એક દેશમાં હાવી થાય છે તો ત્યાં ત્રણ મહિનાથી ઓછા સમય સુધી તેની લહેર ચાલવી જોઈએ.આ સમય કપરો સાબિર થઈ શકે છે.મારા મતે જો આપણે યોગ્ય પગલાં લઈએ છીએ તો 2022 સુધીમાં મહામારીનો અંત આવી શકે છે.

વિધાનસભ્યોના સિક્યૉરિટી અધિકારીઓને કારણદર્શક નોટિસ આપવાનો નિર્દેશ
નવા રંગ-રૂપ અને નિયમવાળુ લોકડાઉન ૪.૦ લાગુ : આવતીકાલથી ખુલશે ઘણું બધું
હાઈકોર્ટનો રેનોલ્ટ-નિસાનના કામદારોને ₹ 70.84 કરોડ આપવાનો આદેશ
અર્નબની ધરપકડ, સંજય રાઉત બોલ્યા – બદલો લેવા માટે નથી થયુ કંઈ
નાના ધંધાર્થીઓનું અસ્તિત્વ જોખમમાં, આત્મનિર્ભર પેકેજ છતાં MSME સેક્ટર પર ખતરો
Share This Article
Facebook Email Print
Previous Article EDએ અંડરવર્લ્ડ સાથે સંડોવાયેલા રક્તચંદનની દાણચોરી પ્રકરણે બાદશાહ મલિકની ધરપકડ કરી
Next Article સપાના નેતાઓને ત્યાં આઈટી વિભાગની રેડમાં 68 કરોડનુ બિનહિસાબી નાણું પકડાયુ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up