બિહારના મુસ્લિમ મંત્રીએ કહ્યુ કે, મારા પૂર્વજો હિન્દુ હતા અને પછી મુસ્લિમ બન્યા

HM News
1 Min Read

પટણા,તા.10.જુલાઈ : બિહાર સરકારના અલ્પસંખ્યક મંત્રી જમા ખાને પોતાના અંગે એક ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે.તેમણે પોતાને હિન્દુ જણાવીને કહ્યુ છે કે, મારા પૂર્વજો રાજપૂત હતા અને તેમણે ધર્માંતરણ કરીને ઈસ્લામ ધર્મ કબૂલ કર્યો હતો.

હાજીપુરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં પૂછાયેલા સવાલ પર તેમણે કહ્યુ તહુ કે, ધર્માંતરણ જો પોતાની મરજીથી કરવામાં આવે તો તેમાં ખોટુ નથી.આજે પણ મારા ખાનદાનના અડધા લોકો હિન્દુ છે અને તેમની સાથે મારી મુલાકાત પણ થતી રહે છે.ધર્મપરિવર્તન ભાઈચારાથી કરી શકાય છે પણ જબરદસ્તી કોઈનો ધર્મ બદલાવવો ગુનો છે.જમા ખાને આગળ કહ્યુ હતુ કે, હું રાજપૂત હતો અને મારા પૂર્વજ જયરામસિંહ અને ભગવાન સિંહ હતા.ધર્મ પરિવર્તન માટે લડાઈ થઈ ત્યારે ભગવાન સિંહ ઈસ્લામ કબૂલ કરીને મુસ્લિમ થઈ ગયા હતા.જ્યારે જયરામસિંહ હિન્દુ રહ્યા હતા.આજે પણ બંને પરિવારના સભ્યો એક બીજાના ઘરે જાય છે.તેમણે આગળ કહ્યુ હતુ કે, મુસ્લિમોએ જેડીયુને વોટ નથી આપ્યા પણ નિતિશ કુમાર મુસ્લિમોનુ ધ્યાન રાખે છે.તેમણે પોતાના મંત્રીમંડળમાં મુસ્લિમને સ્થાન આપ્યુ છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *