By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બિહાર ચૂંટણી : ખુલ્લેઆમ દારૂનું થઇ રહ્યું છે વેચાણ એમ કહીને રેલીમાં નીતીશકુમાર પર થયો પથ્થર મારો, મંચ પરથી નીતીશે ફેંક્યો પડકાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > બિહાર ચૂંટણી : ખુલ્લેઆમ દારૂનું થઇ રહ્યું છે વેચાણ એમ કહીને રેલીમાં નીતીશકુમાર પર થયો પથ્થર મારો, મંચ પરથી નીતીશે ફેંક્યો પડકાર
GeneralNationalPolitics

બિહાર ચૂંટણી : ખુલ્લેઆમ દારૂનું થઇ રહ્યું છે વેચાણ એમ કહીને રેલીમાં નીતીશકુમાર પર થયો પથ્થર મારો, મંચ પરથી નીતીશે ફેંક્યો પડકાર

HM News
Last updated: 03/11/2020 10:48 AM
HM News
5 years ago
Share
SHARE

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન વચ્ચે મુખ્યમંત્રી નીતીશકુમાર ત્રીજા તબક્કાના મતદાન માટે મધુબનીના હરલાખીમાં જાહેર સભાને સંબોધવા પહોંચ્યા હતા.જયારે,સભા દરમ્યાન સીએમ નીતીશકુમાર નોકરીઓ અંગે વાત કરી રહ્યા હતા તે દરમ્યાન ભીડ માંથી કોઈએ તેમના પર પથ્થર ફેંક્યો હતો.

નીતીશકુમારે કર્યો હુંકાર

પોતાના પથ્થર ફેંકાતા નીતીશકુમાર મંચ પરથી જ નારાજ થયા હતા. અને ભાષણ દરમ્યાન જ બોલ્યા કે હજુ ફેંકો,ફેંકતા જ રહો,તેની કોઈ અસર નહિ થાય. જોકે,આ ઘટના બાદ સુરક્ષા કર્મીઓ સતર્ક થઇ ગયા હતા અને સીએમની આસપાસ સુરક્ષા ઘેરો બનાવી લીધો હતો.સીએમ નીતીશકુમારે પણ ચૂંટણી સભામાં પોતાનું ભાષણ પૂરું કર્યું હતું.

મધુબનીના હરલાખી વિધાનસભા ક્ષેત્રમાં તેઓ જ્યારે પહોંચ્યા ત્યારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.જો કે,નીતિશ કુમાર રેલીને સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેમના પર પથ્થર અને ડુંગળી ફેંકવામાં આવી હતી.

દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું હોવાની કરી વાત

ઉલ્લેખનીય છે કે,રેલી દરમિયાન પથ્થર ફેંકનાર વ્યક્તિ સતત નારેબાજી કરી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે,દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે.ચોરી થઇ રહી છે પરંતુ તમે કાંઇ જ કરી શકતા નથી. જો કે,ત્ચારબાદ તેણે કાંકરી ચાળો કરતા નીતિશ કુમારના સુરક્ષાકર્મીઓએ આ શખ્સને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નીતિશ કુમારે કહ્યું કે ફેંકવા દો,જેટલા ફેંકે તેટલા ફેંકવા દો.

સરકાર આવ્યા પછી રોજગારની તક ઊભી થશે

નોંધનીય છે કે,નીતિશ કુમારે આ વાતની સાથે જ તેમણે પોતાનું સંબોધન આગળ વધાર્યું હતું,નીતીશે કહ્યું કે અમે કહી રહ્યા છીએ કે સરકાર આવ્યા પછી રોજગારની તક ઊભી થશે અને કોઈએ બહાર નીકળવું નહીં પડે.નીતીશે કહ્યું કે,જેઓ આજે સરકારી નોકરીની વાત કરે છે,જ્યારે તેઓ સત્તામાં હતા,ત્યારે કેટલા લોકોએ રોજગાર આપ્યો,તે પછી બિહાર-ઝારખંડ ઘણા લાંબા સમયથી સમાન હતું.

અગાઉ પણ વિરોધ થઈ ચૂક્યો છે

આપને જણાવી દઈએ કે આ વખતે ચૂંટણી પ્રચાર દરમિયાન નીતીશ કુમારે ઘણી વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે.ઘણી રેલીઓમાં નીતીશ કુમારની સામે તેમની સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે,જ્યારે ખુદ નીતિશે પણ સૂત્રોચ્ચાર કરનારા લોકોને રોકી દીધા છે.

હાઇકોર્ટમાં સુઓમોટો અરજી પર રાજ્ય સરકારનું 61 પાનાનું સોગંદનામુ , આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આપ્યો જવાબ
GSTની ત્રીજી વરસી : ટેક્સ્ટાઇલ માર્કેટની ૫ હજાર દુકાન બંધ, પ્રોડક્શન ૪૦ ટકા ઘટયું
રત્નાગિરિ નજીકના ભાટયે દરિયા કાંઠે અતિ ઝેરી પોર્ક્યુપાઇન માછલી મૃત હાલતમાં મળી
નવી સ્કીમ : બ્રાહ્મણ સાથે લગ્ન કરવા પર આ રાજ્યમાં મળશે આટલા લાખ રૂપિયા
કોરોનાને કારણે હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા CM શિવરાજે કહ્યું- જાતે કપડાં ધોઈ રહ્યો છું
Share This Article
Facebook Email Print
Previous Article મોરબીમાં બૂથ બહાર BJPએ પત્રિકાનું વિતરણ કર્યું, નાગરિકે ચૂંટણી સ્ટાફને ખખડાવ્યો
Next Article મહિલાને મળવા પોલીસ જવાન ઘરે પહોંચ્યો, પતિ જોઈ જતા બારીમાંથી લગાવી છલાંગ, હાલત ગંભીર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up