બુહારી ગામમાં શ્રીમદ ભગવદ ગીતા જયંતિ નિમિત્તે 501 ભાગવદ ગીતાનું વિતરણ

HM News
1 Min Read

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામમાં 25 ડિસેમ્બર 2020 મોક્ષદા એકાદશીના દિવસે બુહારી સ્માર્ટ વિલેજનું વાતાવરણ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપેના વિતરણ અને હરે કૃષ્ણ કીર્તનથી ભક્તિમય થયું હતુ. ઇસ્કોન બરોડાથી 15 ભક્તો દ્વારા વિશેષ આયોજન કરાયું હતું.જેમાં બુહારી તથા આજુબાજુ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.બુહારી ગામમાં ડો.દામોદર ચૈતન્ય દાસ,માધવ દાસ,લલિત ગોવિંદ દાસએ ભગવદ્ ગીતા પર સંદેશ આપ્યો હતો.બુહારીના જ વતની તથા ISKCON મંદિર વડોદરાનાં સેવક કેશવ શ્યામસુંદર દાસનું અભિયાન છે : ઘર ઘર ગીતા – હર ઘર ગીતા જેને બહોળા પ્રમાણમાં આવકાર આપ્યો હતો અને 501 ગીતાનું બુહારીનાં ગામજનોમાં વિતરણ કર્યું હતું. શ્રીમદ્ ભાગવત ગીતાના વિતરણ પ્રસંગે બુહારી રામજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ ઉદયભાઈ દેસાઈ,નરેશભાઈ પટેલ, સત્યજીત દેસાઈ તાપી જિલ્લાના સદસ્ય, દિગેન્દ્રભાઈ પટેલ, હિતેશભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *