– મની લોન્ડરિંગ કેસમાં ઇડીની કાર્યવાહી
– રાજેશ વી.આરની બેંકમાંથી ઉચાપત કરાયેલ રકમમાં મોટી ભૂમિકા હતી : તેણે 40 કરોડની લોન લઇ ભરી ન હતી
નવી દિલ્હી : ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુના પબ્લિક ફંડની છેતરપિંડી આચરવા બદલ બેંગાલુરુ સ્થિતિ સહકારી બેંક વિરુદ્ધની મની લોન્ડરિંગની તપાસના સંબધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક વ્યકિતની ધરપકડ કરી છે.શ્રી ગુરુ રાઘવેન્દ્ર સહકારી બેંક નિયામિથાના કેસમાં રાજેશ વી આરની ધરપકડ કરવામાં આવી છે.ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે બેંકમાંથી પબ્લિક ફંડની ઉચાપત કરવામાં આ વ્યકિતની મોટી ભૂમિકા હતી.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ફેબુ્રઆરીમાં એજન્સીએ સહકારી બેંકના પ્રમુખ કે રામકૃષ્ણાની ધરપકડ કરી હતી.રાજેશ વી આરની ભૂમિકા અંગે ઇડીએ જણાવ્યું હતું કે આરબીઆઇના ઇન્સ્પેકશન રિપોર્ટ અનુસાર તેણે બેંકમાંથી ૪૦.૪૦ કરોડ રૂપિયાની લોન લીધી હતી અને તેને ભરી ન હતી.તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે રાજેશ વી આર વિરુદ્ધ કેટલીક અન્ય એફઆઇઆર અગાઉ નોંધાયેલી હતી. રાજેશ અને તેમના પત્નીએ અન્ય સહકારી બેંકો/ સોસાયટીઓમાં પણ છેતરપિંડી આચરી હતી.ઇડીએ ફેબુ્રઆરી, ૨૦૨૦માં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની ક્રિમિનલ જોગવાઇઓ હેઠળ કેસ દાખલ કર્યો હતો.