પોલીસ બેડામાં બે તબક્કામાં બદલીનો દૌર નિિત થયો છે પોલીસ વડા શિવાનદં ઝાની નિવૃતિ બાદ એક અને એક ઓર્ડર આ મહિનાના અંતિમ દિવસોમાં થશે.પોલીસની બદલીનો તખ્તો તૈયાર થઈ ચૂકયો છે.ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્રારા આ અંગેની પ્રક્રિયા પૂર્ણ કરીને મુખ્યમંત્રી કાર્યાલયમાં મોકલી આપ્યું છે.આ અંગે મુખ્યમંત્રીનું ગ્રીન સિલ મળતા જ બદલી કરી દેવામાં આવશે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અંદાજે ૪૫ જેટલો ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી તૈયાર થઈ છે.જેમાં ૧૨ એસપી રેન્કના અધિકારી અને ડીઆઈજી તરીકે બઢતી આપવામાં આવશે ચારેય રેન્જના આઈપીએસ અધિકારીઓ બદલી નાખવામાં આવનાર છે.અમદાવાદ શહેરના ૬ આઈપીએસને બઢતી સાથે બદલી થવાની છે
તેમજ અમદાવાદ સેન્ટ્રલ જેલના સુપ્રિટેન્ડન્ટ એન.કે.નાયડુ,ગ્રામ્ય એસપી અંસારીને બદલવામાં આવશે જામનગર,તાપી,છોટા ઉદેપુર,વડોદરા અને સીએન સિકયોરિટીના કોરડિયાને બઢતી-બદલી થશે.રાયની ચારેય રેન્જના આઈઓ બદલાશે વડોદરા સી.પી.રાજકુમાર પાંડિયન સુરત રેન્જ અથવા અમદાવાદ રેન્જ તરીકે મુકવાની વાત ચાલી રહી છે.અમિત શાહનો જમણો હાથ ગણાતા અભય ચુડાસમાનું પણ અમદાવાદ રેન્જ આઈજી તરીકે મુકવાની હિલચાલ ચાલી રહી છે.તેમ સૂત્રોમાંથી જાણવા મળે છે.છેલ્લા ત્રણ મહિનાથી અમદાવાદ રેન્જ આઈજીની જગ્યા ચાર્જમાં ચાલી હી છે ત્યારે તાકિદના ધોરણે રેન્જ મુકવામાં આવશે.આ જગ્યા પર વડોદરા રેન્જના અભય ચુડાસમા અને રાજકોટ રેન્જના આઈજી સંદીપસિંઘના નામ પણ સંભાળાય રહ્યા છે. જો અભય ચુડાસમા અમદાવાદ આવે તો રાજકોટ રેન્જ સંદીપસિંહને વડોદરાનો ઓર્ડર થવાની શકયતા છે. આ સિવાય રાજકોટ રેન્જમાં સંદીપસિંહની જગ્યાએ જામનગર રેન્જના આઈજી મયંકસિંહ ચાવડાને પણ મુકવામાં આવે. સૂત્રોનું માનીએ તો વલસાડ એસપી સુરેશ જોષી,નવસારી એસપી ગિરીશ પંડયા,દેવભૂમિ દ્રારકાનાં રોહન આનંદ,સાબરકાંઠા અને અમરેલીના એસપી મહિસાગરના ઉષા રાડા, નડિયાદ એસપી દિવ્યામિશ્રાને સુરત ગ્રામ્યમાં મુકવાની શકયતા છે.વડોદરાની જેસીપી ક્રાઈમ અને ટ્રાફિકના કેસરસિંહ ભાટી પણ બદલાઈ શકે છે. ગોધરા રેન્જ ડીઆઈજી એમ.એસ.બગડાની પણ બદલી થવાની સંભાવના છે.સુરતના સેકટર-૧ અને સેકટર-૨ની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. આ જગ્યાઓ પણ ભરવામાં આવશે.રાજ્યમાં પોલીસ વડા શિવાનદં ઝા નિવૃત્તિ બાદ અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા રાજ્યમાંના નવા પોલીસ વડા તરીકે નિિત માનવામાં આવી રહ્યા છે.આ ઓર્ડર બા પણ વધુ એક બદલીનો ઓર્ડર નિિત છે.આમ રાજ્યમાં બે તબક્કામાં પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવશે.