બોગસ વિલના આરોપ બાદ ઋષિ મહારાજની આગોતરા જામીન અરજી

HM News
2 Min Read

અમદાવાદ : ભારતીબાપુના સરખેજ સ્થિત આશ્રમની સત્તાને લઇને વિવાદ બાદ શિષ્ય યદુનંદ ભારતીજીએ ગુરુભાઇ ઋષિ ભારતી સામે સરખેજ પોલીસ મથકમાં અરજી કરી છે.જેમાં ઋષિ ભારતીએ પ.પૂ. વિશ્વંભર ભારતીજી બાપુના બ્રહ્મલીન થયાના 15 દિવસ બાદ તેમના નામનું બોગસ વિલ ઊભું કર્યું હોવાનો આક્ષેપ સંતોએ આરોપ મૂક્યો છે.આખાય પ્રકરણ વચ્ચે સ્વામી ઋષિ ભારતી મહારાજે ધરપકડના ડરથી આગોતરા જામીન અરજી કરી છે.જેમાં ગ્રામ્ય કોર્ટે સુનાવણીના અંતે ચુકાદો અનામત રાખ્યો છે.સ્વામી ઋષિ ભારતી મહારાજે ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીન અરજીમાં એવી રજૂઆત કરી છે કે,હું ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા કરું છું.3 જુલાઇ 2010ના રોજ આ ટ્રસ્ટના મુખ્ય માલિક મહંત મહામંડલેશ્વર સ્વામી વિશ્વભર ભારતીજી મહારાજે પોતાની મરજીથી મને વિલ કરી આપ્યું હતું.જેમાં તેમના અવસાન બાદ હું માલિક હોઇશ તેવું લખેલું છે જે વિલ રજિસ્ટર્ડ છે ત્યારે સરખેજ પોલીસ મથક દ્વારા જાણવા મળ્યું છે કે,હું આશ્રમ ગેરકાયદે રીતે ધરાવું છું.મારી પાસે રજિસ્ટર ડીડી પણ છે પરંતુ ખોટી રીતે મારી પર કેસ કરવામાં આવે તેવી શક્યતા છે.

હું ધાર્મિક પ્રચાર અને સેવા કરું છું કોઇ જ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલ નથી.મારી સામે આવી કોઇ જ ફરિયાદ થઇ છે કે નહીં તે અંગે જાણ નથી પરંત પ્રોટેક્શન મળે તે માટે આગોતરા જામીન આપવા જોઇએ.આવી રજૂઆત બાદ કોર્ટે સરખેજ પોલીસને નોટિસ ઇશ્યૂ કરી હતી.જેથી પોલીસે આજે રિપોર્ટ રજૂ કરતા બન્ને પક્ષે સુનાવણી પૂર્ણ થતા કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *