– પ્રધાનમંત્રી બોરિસ જોનસનના નિર્ણય પર લોકોએ સવાલ ઉઠાવ્યા
– બ્રિટનમાં 335 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે
લંડન, તા. 25 માર્ચ 2020 બુધવાર
યુકેમાં સરકારે ત્રણ વીક સુધીના લોકડાઉનની જાહેરાત કરી દીધી હતી પરંતુ હવે તેને અમલમાં મૂકવા પર મોટો સવાલ ઊભો થયો છે. મંગળવારના રોજ દેશની અન્ડરગ્રાઉન્ડ ટ્રેનો સંપૂર્ણ રીતે ભરાયેલી જોવા મળી હતી. જોકે આ ટ્રેનોની સેવામાં કાપ મૂકાયો છે પરંતુ પ્રવાસીઓ પર તેની કોઇ અસર થઇ નથી.
પ્રધાનમંત્રી બોરિસ જોનસને ઓછામાં ઓછા 21 દિવસ માટે લોકોની અવરજવર પર રોક લગાવવા કેટલાક ઉપાયનું એલાન કર્યું હતું. અહીંયા કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 335 પહોંચી ગઇ છે. જોનસને લોકોને કહ્યું કે, ઘરમાં જ રહો અને પોલીસ જરુરી સૂચનાઓ અપાઇ છે.
હવે સવાલ એ ઊભો થાય છે કે જોનસને જે એલાન કર્યું છે તેમાં તેઓ પોતે જ સ્પષ્ટ નથી. લોકો પોલીસકર્મીઓને સવાલ પૂછી રહ્યા છે કે, તેઓને શું કરવું છે અને નથી કરવું તેની જાણ છે જ. પર્યટન મંત્રી ગેંટ શાપ્પે એ સોમવારના રોજ સ્થિતિ અને સ્પષ્ટ કરતાં કહ્યું કે સૂચના એકદમ સ્પષ્ટ છે કે લોકોએ ઘરમાં જ રહેવાનું છે.
દેશની મોબાઇલ સેવાઓ બોરિસ જોનસનના મેસેજને લોકો સુધી પહોંચાડી રહી છે. ગૃહમંત્રી પ્રીતિ પટેલે ટિ્વટ કરીને જણાવ્યું કે આવનાર કેટલાક અઠવાડિયા પોલીસ માટે ચેલેન્જિંગ રહેશે.
સરકારે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે જોનસનનું સ્વાસ્થ્ય એકદમ ઠીક છે પરંતુ જો કોરોના વાઇરસના સંક્રમણમાં આવ્યા હોત તો વિદેશમંત્રી ડોમનિક રોબ સરકારનું કામકાજ સંભાળી શકતાં.
બ્રિટનમાં સાડા છ હજાર કોરોનાથી સંક્રમિત કેસો સામે આવ્યા છે.