અમદાવાદ : અમદાવાદ શહેરમાં 5થી 10 ઈંચમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસની પોલ ખૂલી ગઈ છે.ઠેર ઠેર પાણી ભરાવવાના તથા ભૂવા પડવાના સંખ્યાબંધ બનાવો બનવા પામ્યા છે. આ આફત માનવસર્જીત હતી પાલડીમાં 18 ઈંચ વરસાદ પડતા કરોડો રૂપિયાના બંગલામાં રહેતા લોકો રાતભર પાણી ઘરમાં ના ઘૂસે તેની ચોકી કરવી પડી હતી અને કેટલાક બંગલામાં તો ડ્રોંઈગ હોલ સુધી પાણી ભરાઈ ગયા હતા.લોકો હવે કહેવા લાગ્યા છે કે આ કેવો વિકાસ છે? હવે આપણે બીજા વિકાસની વાત કરીએ.બ્રિટિશ શાસનમાં તૈયાર થયેલું જૂનું અમદાવાદ એટલે કે કોટ વિસ્તાર ત્યાં આજે પણે ભારે વરસાદથી અસર થતી નથી પાણી એક બે કલાકમાં ઉતરી જાય છે એવી બેસ્ટ સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન વર્ષો જૂની નાંખવામાં આવેલી છે.જ્યાં જ્યાં તેમાં ફેરફાર કરવાની કામગીરી કરાઈ છે ત્યાં ત્યાં પાણી આ વરસાદમાં પણ ભરાય છે.
બે વાર પડેલા ભારે વરસાદે અમદાવાદના કેટલાક વિસ્તારોને નારાજ કરી દીધું છે. આજે ત્રીજો દિવસ છે છતાં સોસાયટીઓ તથા શોપિંગ મોલની દુકાનોમાંથી પાણી નીકળ્યા નથી.કરોડો રૂપિયાનું નુકસાન માત્રને માત્ર મ્યુનિ.તંત્રના અડધડ વહીવટના કારણે છે.કેચપીટો સાફ થતા હોય તેવી કોઈ કામગીરી શહેરીજનો એ જોઈ નથી.પહેલા કન્ટ્રોલ રૂમમાં ફરિયાદ મળે તેના એક કલાકમાં કામગીરી થઈ જતા હતી. પરંતુ આજે બબ્બે દિવસ છતાં કામગીરી થતી નથી.ભાજપ સંપૂર્ણ નિષ્ફળ છે છેલ્લા 17 વર્ષથી ભાજપ શાસનમાં છે છતાં પાણી ભરાવાની સમસ્યા દૂર કરી શક્યું નથી.શા માટે કામગીરી થતી નથી તમામને મોટા પ્રોજેક્ટમાં રસ છે.
આ ઉપરાંત શહેરમાં હલકી કક્ષાના રોડ બનતા હોવાથી ઠેર ઠેર ભૂવા પડી રહ્યા છે. લોકોની લાખો રૂપિયાની કિંમતની ગાડીઓ ભૂવામાં કાંતો ગરકાવ થઈ જાય છે.અથવા અડધી બટકી જાય છે.સાથે મિલિભગતથી આવા હલકી કક્ષાના રોડ બની રહ્યા છે અને તેના માટે જવાબદાર અધિકારીઓને નજીવી સજા કરી પ્રમોશન પણ આપવામાં આવી રહ્યા છે.વરસાદમાં કેટલાકના ઘરોમાં તો ગટરના પાણી ફરી વળ્યા છે.ગટર લાઈનમાં પાણી છોડતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.માત્ર મેટ્રો કે બીઆરટીએસના પ્રોજેક્ટ હાથ ધરવાથી વિકાસ થાય તેમ નથી લોકોને મુશ્કેલી ના પડે તે માટે કામગીરીને વિકાસ કહેવામાં આવે છે.
20 ઈંચ વરસાદમાં પણ કોટ વિસ્તારમાં ક્યાંય પણ બેથી ત્રણ કલાક સુધી પાણી ભરાયેલા રહ્યા ન હતા.આજે પણ 5 થી 10 ઈંચ વરસાદમાં કોટ વિસ્તારમાં બે કાલાક પછી શહેર પુનઃ ધબકતું થઈ ગયું હતું. તેની ડ્રેનેજ સિસ્ટમ તથા સ્ટ્રોર્મ વોટર સિસ્ટર સમજ્યા જેવી છે.અત્યારે ભલામણોથી સિટી એન્જિનિયર કે એડિશનલ સિટી એન્જિનિયર બનેલા અધિકારીઓને સત્તાધારી પાર્ટીને ખુશ કરવા સિવાય કોઈ કામમાં તેમને રસ હોતો નથી.