લાંબા સમય પૂર્વેની એક વિવાદાસ્પદ થયેલી વિડીયોમાં જાણીતા કથાકા૨ અને સંત મો૨ા૨ીબાપુએ ભગવાન શ્રીકૃષ્ણના વંશજો ગણાતા યાદવ કુળ અંગે વાંધાજનક વિધાનો ર્ક્યા હતા અને ભગવાન શ્રીકૃષ્ણ તથા બલ૨ામ અંગે પણ જે વિધાનો ર્ક્યા તેની સામે વિ૨ોધ થયો હતો અને કાન્હા વિચા૨ મંચે મો૨ા૨ીબાપુ માફી માંગે અને દ્વા૨કા જઈને માફી માંગે તેવી માંગણી ક૨તા બાપુ આજે દ્વા૨કા પહોંચ્યા છે.
અને સાંજે પવિત્ર મંદિ૨માં દર્શન ક૨શે અને તેમના વિધાનો બદલ માફી માંગશે બાપુએ એવું કહયું હતું કે ભગવાન શ્રીકૃષ્ણ મા૨ા ઈષ્ટદેવ છે અને તેથી તેના વિશે હું કઈ ખોટુ બોલી શકુ નહી.બાપુએ આ વિધાનો સાથે વિવાદનો અંત લાવવા પ્રયાસ ર્ક્યો છે.
રાજકોટ ભરવાડ સમાજના અગ્રણીઓએ કલેકટરને આવેદન પાઠવી મોરારીબાપુ દ્વારા ભગવાનશ્રી કૃષ્ણ અને બલરામજી વિશે કરાયેલ ટીપ્પણી સંદર્ભે રજુઆતો કરી હતી.આવેદનમાં જણાવેલ કે,ભરવાડ,રબારી અને આહીર સમાજના ઇષ્ટદેવ ભગવાનશ્રી કૃષ્ણ વિશે તાજેતર કથાકાર મોરારીદાસ હરીયાણી મોરારીબાપુ દ્વારા કરાયેલ ટીપ્પણીમાં ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીના ચારીત્ર ઉપર કાદવ ઉછારવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો છે.તેનાથી કૃષ્ણ ભકતોમાં ભારો ભાર રોષ ફેલાયેલો છે. ત્યારે મોરારીબાપુ હરીયાણીએ ભગવાન દ્વારકાધીશની નગરી દ્વારીકા જઇને ભગવાનને શીશ નમાવીને જાહેર માફી માગવી જોઇએ.એવી સમગ્ર માલધારી સમાજની લાગણી અને માંગણી છે.જો વહેલી તકે દ્વારકાધીશની માફી માંગવામાં નહીં આવે તો માલધારી સમાજ અને કૃષ્ણભકતોનો રોષનો ભોગ બનવાની તૈયારી મોરારીબાપુએ રાખવી પડશે.ખાસ કરીને સોશ્યલ મીડીયામાં જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેનાથી યુવાવર્ગ રોષમાં જણાઇ રહ્યો છે.તો સર્વે યુવાનોએ સંયમ રાખવા અપીલ કરવામાં આવે છે.આવેદનપત્ર દેવામાં અગ્રીણીઓ સર્વશ્રી ભીખાભાઇ પડસારીયા,રાજુભાઇ જુંજા,રણજીતભાઇ મુંધવા,નારણભાઇ સાનીયા,કરણભાઇ ગમારા,ગેલાભાઇ સભાડ,રમેશભાઇ જુંજા,ગોપાલભાઇ ગોલતર,જાદવભાઇ ધોળકીયા વિગેરે જોડાયા હતા.