By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર કહ્યું કે પોલીસ ખનન માફિયાઓને છાવરે છે..
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Bharuch-Ankleshwar-Narmada > ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર કહ્યું કે પોલીસ ખનન માફિયાઓને છાવરે છે..
Bharuch-Ankleshwar-NarmadaGeneral

ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર કહ્યું કે પોલીસ ખનન માફિયાઓને છાવરે છે..

HM News
Last updated: 26/11/2021 11:44 AM
HM News
4 years ago
Share
SHARE

ભાજપના સાંસદ મનસુખ વસાવા અવાર નવાર સરકારની સામે કોઈને કોઈ મુદ્દે રજૂઆત કરતા નજરે ચઢે છે.તેઓ ભાજપમાં હોવા છતાં પણ સરકારની પોલ અવાર નવાર છતી કરે છે.ત્યારે હવે ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યો છે.પોલીસ પર ભૂ માફિયાઓને છાવરવાનો આક્ષેપ કરતો પત્ર સાંસદે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો છે.આ પત્રમાં તેમણે ભૂ માફિયાઓના કારણે રસ્તા નુકસાન અને અકસ્માત જેવી ઘટનાઓ થાય છે તે બાબતે પણ રજૂઆત કરી હતી.ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, નર્મદાના બંને કાંઠે ગડેશ્વરથી પોઇચા ભાઠા,રૂઢ તથા શિનોર તાલુકા,નાંદોદ તાલુકા,કરજણ તથા ઝઘડિયા તાલુકાના અલગ-અલગ સ્થાનો પર ખૂબ જ મોટા પ્રમાણમાં નર્મદામાંથી ગેરકાયદેસર રેતી ઉપાડવામાં આવે છે.જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાય છે.

નદીમાંથી મશીન દ્વારા રેતી કાઢવાથી ખૂબ જ ઊંડા ખાડા પાડવામાં આવે છે.જેના કારણે નર્મદા સ્નાન કરવા આવતા લોકોના ડૂબી જવાના ઘણા જ બનાવો બને છે તથા નદીમાં પાણી પીવા જતા પશુધન પણ પાણીમાં ગરકાવ થાય છે. સતત ચાલતી આવી પ્રવૃત્તિથી નદી તથા વન્ય જીવ સૃષ્ટિને ભારે હાનિ થાય છે.રેતી ભરીને ચાલતા ડમ્પર ઓવરલોડ હોવાથી રોડ-રસ્તાને પણ નુકસાન થાય છે.રાત-દિવસ સતત બેફામ ચાલતા ડમ્પર દ્વારા ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાય છે.જેના કારણે અકસ્માતની ઘટના બને છે.થોડાં દિવસ પહેલા પાણેથા-અસાની વચ્ચે એક રાહદારીને કચડેલ હતો.જેમાં પોલીસને જાણ કરવા છતા પોલીસ પણ આવા ખનન માફિયાઓને છાવરે છે.જેથી નર્મદા,ભરૂચ જિલ્લાના રોયલ્ટી તંત્રને તાત્કાલિક જાણ કરવામાં આવે અને ઉપરોક્ત પ્રમાણેની ગેરકાનૂની પ્રવૃત્તિ તથા અકસ્માતની ઘટનાઓ તાત્કાલિક રોકવામાં આવે એવી આપ સાહેબને નમ્ર વિનંતી છે.

સાંસદ મનસુખ વસાવાએ કરેલી રજૂઆત બાદ ભૂ માફિયાઓ સામે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું.મહત્ત્વની વાત છે કે, અગાઉ પણ તેમણે ભૂ માફિયાઓ દ્વારા કરવામાં આવતા રેતી ખનનને લઇને સરકારને રજૂઆત કરી હતી.પણ તે રજૂઆતનું કોઈ નિરાકરણ ન આવતા ફરીથી તેમણે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.

HM Exclusive : સુરતના 800 કરોડના નોટબંધી કૌભાંડમાં ભજિયાવાલા પિતા-પુત્રની મુશ્કેલી વધશે
કોંગ્રેસમાં કકળાટ! NSUIના કાર્યકરોએ ભરતસિંહ સોલંકીનો કર્યો ઉગ્ર વિરોધ,પક્ષના કાર્યાલયમાં કરી તોડફોડ
વોડા-આઇડિયા 1 લાખ કરોડ સુધીની લોન લેશે, 15000 કરોડના શેર જાહેર કરી શકશે
ન્યૂયોર્ક કોરોનાનું એપીસેન્ટર બનતા ડિઝાસ્ટર જાહેર, ઇટલીમાં મોતનો આંકડો જાણી સ્તબ્ધ થઇ જશો
દુનિયાભરમાં મુસલમાનો પર થયેલા જુલમોને કારણે આવ્યો કોરોના : હિજબુલ ચીફ સૈયદ સલાહુદ્દીન
Share This Article
Facebook Email Print
Previous Article સ્વચ્છતા સર્વેક્ષણને લઇ નવસારી-વિજલપોર નગરપાલિકાની કામગીરી પર ઉઠયા સવાલ
Next Article શા માટે પત્નીથી છૂપાઈને પાટણ ગયા હતા ગૃહ રાજ્યમંત્રી સંઘવી ? : જાણો વિગતે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up