– માલધારી સમાજે દુધના કેન સાથે રેલી સ્વરૂપે ઓસારાથી નીકળી ઝાડેશ્વર નીલકંઠેશ્વર મંદીરે નદી કિનારે વિરોધ નોંધાવ્યો
– રાજ્યની વિવિધ ડેરીઓમા દૂધ નહિ ભરવાનું એલાન માલધારી સમાજે આપ્યું હતું
ભરૂચ જિલ્લામાં માલધારી સમાજે ઓસરા રોડ હનુમાનજી મંદિરેથી વાહનો તેમજ કેન સાથે ઝાડેશ્વર નિલકંઠેશ્વર મંદિર સુધી રેલી કાઢી હતી.નદીમાં 50 હજાર બાળકોને ચાલે એટલું 10 હજાર લીટર જેટલા દુધનો અભિષેક કરી વિરોધ નોંધાવ્યો હતો.ઢોર નિયંત્રણ બીલને લઈ સમગ્ર ગુજરાતભરમાં માલધારી સમાજમા રોષ ભભૂકી ઉઠયો હતો.તે સામે આંદોલનનું શસ્ત્ર ઉગામી બુધવારે દૂધ નહિ ભરવાનું માલધારી સમાજના સંતો મહંતોએ એલાન આપ્યું હતું.જેના કારણે રાજ્યની વિવિધ ડેરીઓમા દૂધ નહિ ભરવાનું એલાન માલધારી સમાજે આપ્યું હતું.ભરૂચ સહિત જિલ્લાના વિવિધ વિસ્તારમાથી માલધારીઓ દુધના કેન સાથે નર્મદા ચોકડી થઈ રેલી સ્વરૂપે નીલકંઠેશ્વર મંદીરે નદી કિનારે પોહચ્યા હતાજ્યાં ગરીબોને દૂધ આપવા સાથે નર્મદા મૈયાને હજારો લીટર દૂધનો દૂગ્ધાભિષેક કરી ઢોર નિયંત્રણ બિલ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
આજે ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા કિનારે હજારો લિટર દૂધ અભિષેક માલધારી સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો.જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં માલધારી સમાજના યુવાનો અને વડીલો જોડાયા હતા.સમાજના આગેવાનોએ દાવો કર્યો હતો કે, અંદાજે 10 હજાર જેટલા દુધનો નર્મદા નદીમાં અભિષેક કરાયો હતો.આટલું દૂધ 200 મિલી પ્રમાણે ગણીએ તો 50
હજાર બાળકોને ચાલે એટલું ગણાવી શકાય.
ભરૂચની દૂધધારા ડેરીમાં દૂધની આવકને કોઈ અસર નહિ
ભરૂચ દુધધારા ડેરીએ જણાવ્યું હતું કે, તેમની પાસે આજે રોજિંદા પ્રમાણે જ દુધનો જથ્થો આવ્યો હતો.માલધારીઓના દૂધ બંઘના એલાનની કોઈ અસર પડી નથી.આગામી સમયમાં પણ ભરૂચ અને નર્મદા જિલ્લાની પ્રજાને દૂધની જરૂરિયાત પૂર્ણ કરવા વિશેષ આયોજન ડેરી દ્વારા કરાયું છે.


