By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભર ઉનાળે પાણીના વલખાં : વડોદરાના સ્થાનિક રહીશોએ ભાજપના બેનર ઉપર માટલા ફોડી વિરોધ કર્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > ભર ઉનાળે પાણીના વલખાં : વડોદરાના સ્થાનિક રહીશોએ ભાજપના બેનર ઉપર માટલા ફોડી વિરોધ કર્યો
GeneralVadodara

ભર ઉનાળે પાણીના વલખાં : વડોદરાના સ્થાનિક રહીશોએ ભાજપના બેનર ઉપર માટલા ફોડી વિરોધ કર્યો

HM News
Last updated: 02/05/2023 9:38 AM
HM News
2 years ago
Share
Pic : FB
SHARE

વડોદરા,તા.02 મે 2023,મંગળવાર : વડોદરા શહેરના તુલસીવાડી વિસ્તારમાં આવેલ તુલસી માતાના મંદિર નજીક 30 જેટલા કાચા પાકા મકાનો આવેલા છે.આ વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણીની લાઈન નાખવામાં આવી ન હોય આજરોજ સ્થાનિકોનો મોરચો આમ આદમી પક્ષની આગેવાનીમાં કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચ્યો હતો.અને ભાજપ પાર્ટીચિન્હના બેનર ઉપર માટલા ફોડી વિરોધ પ્રદર્શન સાથે ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર પાઠવી સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ કરી હતી.

શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ તુલસીવાડી વસાહતમાં તુલસી માતાના મંદિર નજીક મુખ્ય માર્ગને અડીને અંદાજે 30 જેટલા કાચા પાકા મકાનો આવેલા છે.આ વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણીની લાઈન નાખવામાં આવી ન હોય સ્થાનિકો મુશ્કેલી વેઠી રહ્યા છે.ખાસ કરીને ગૃહિણીઓ વ્યાકુળ બની છે.ગરીબ વર્ગના વિસ્તારમાં આ પ્રકારની દુવિધા ઉદ્ભવતા પીવાનું પાણી ખરીદવાની નોબત આવી છે.વધુમાં કહ્યું હતું કે, વર્ષોથી પાણી માટે કોર્પોરેશન દ્વારા ટેન્કર મોકલવામાં આવે છે.પરંતુ ટેન્કર આવતા જ પાણી મેળવવા માટે પડાપડી થાય છે.અને પ્રતિદિન અંદરો અંદર ઝઘડાઓ થાય છે.આ વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો મોરચો આમ આદમી પક્ષની આગેવાનીમાં ખંડેરાવ માર્કેટ ઘસી ગયો હતો.અને ભાજપ પાર્ટી ચિન્હના બેનર ઉપર માટલા ફોડી પાણી આપોના સૂત્રોચાર પોકાર્યા હતા.મ્યુનિસિપલ કમિશનર હાજર ન મળતા તેઓએ મ્યુનિસિપલ કમિશનરની બહાર ધરણા કર્યા હતા.જોકે ડેપ્યુટી કમિશનરે તેઓની વાત સાંભળી વહેલી તકે સમસ્યના નિરાકરણની ખાતરી આપી હતી.અત્રે નોંધનીય છે કે ,સત્તાધીશો એ જણાવ્યું હતું કે, પાણીની સમસ્યાનું મુખ્ય કારણ તેઓનો ઊંચાઈ વાળો વિસ્તાર છે.અંદાજે 20 ફૂટ ઊંચાઈ ધરાવતો વિસ્તાર હોવાથી પ્રેસરની સમસ્યા સર્જાય છે.જોકે તેમ છતાં વહેલી તકે તેઓને પાણી મળી રહે તે માટેના પ્રયાસો હાથ ધરાશે.

વધુ હિંસક હુમલાની તૈયારીમાં રશિયા, સૈનિકોને આર્મેનિયાથી મોકલશે યુક્રેન
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને ચંદ્રવદન પીઠાવાલા વચ્ચે લેટરપેડ વોર : જાણો શું છે સમગ્ર મામલો
સારોલી કુબેરજી માર્કેટના રાજસ્થાની વેપારી વિરુદ્ધ રૂ.3.17 કરોડની ઠગાઈની ફરિયાદ
વીજચોરીના કેસ દાખલ ન કરવા માગી રૂ. 2.60 લાખની લાંચ, રાજકોટ ACBએ છટકુ ગોઠવી ઝડપી પાડ્યાં
ગુજરાત-રાજસ્થાન સોનચીડિયા, ખડમોર, માટે બર્ડ ડાઇવર્ટર્સ લગાડે
Share This Article
Facebook Email Print
Previous Article વડોદરા : સાવલી APMCમાં ભાજપની પેનલનો વિજય
Next Article સુરતમાં એવો ચોર પકડાયો જે કાર ચોરી કરીને તેમાં જ સુઈ જતો હતો : 31 ગુનાનો ભેદ ઉકેલાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up