– આપણી કોઈ કમજોર કડી હશે એના પર અત્યારથી જ કામે લાગવું જોઈએ : આજથી મતદારોનું આભાર દર્શન કરવા અનુરોધ
ખાનપુર ભાજપ કાયર્લિય ખાતે ભાજપ દ્રારા વિજય ઉત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજય ઉત્સવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ,સીઆર પાટીલ સહિતના નેતાઓ પહોચ્યા હતા.અમિત શાહે ગુજરાતની 6 મહાનગરપાલિકામાં ભાજપ એ મેળવેલ પ્રચંડ જીત બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર પાટીલ ને અભિનંદન આપ્યા હતા.
સીઆર પાટીલે કાર્યકતર્ઓિને સંબોધન કરતાં જણાવ્યું હતું કે નવા ચૂંટાયેલા 159 કોર્પોરેટરોને અભિનંદન પાઠવ્યા હતા.આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી,નિતિન પટેલ સહિતના ભાજપ્ના દિગ્ગજોને અભિનંદન પાઠવ્યા હતા.સી આર પાટીલે જણાવ્યું હતું ગત 2015માં 142નો રેકોર્ડ તોડીને 159 પહોંચ્યા છીએ. આપણે ટાર્ગેટ સુધી પહોંચી શક્યા નથી.આપણો લક્ષ્યાંક 168 હતો.આપણી કોઈ કમજોર કડી હશે એના પર અત્યાર થી જ કામે લાગવું જોઈએ.પાલર્મિેન્ટ્રી બોર્ડમાં કેટલાક કડક નિર્ણય થયા જેના કારણે કેટલાક લોકોને ટિકિટ આપી શક્યા નથી.કેટલાય અનુભવી લોકોએ તમારા માટે એક જ અવાજે જગ્યા કરી છે અને તમને જીતાડવામાં મદદ કરી છે,એટલે તેમનો આભાર માનજો.પોતાન સંબોધનમાં સીઆર પાટીલે જીતેલા કોર્પોર્ટરનોને સંદેશ આપ્યો હતો કે તમે તમારા દમ પર નથી જીત્યા,પાર્ટીની તાકાત પર જીત્યા છો.કોઇ દિવસ કાર્યકતર્નિી ફરિયાદ ન આવવી જોઇએ.જો કોર્પોર્ટર અંગે કોઇ કાર્યકરની ફરિયાદ આવશે તો તેમની સામે પગલાં લેવાશે.
સીઆર પાટીલે આગળ કહ્યું હતું કે આપણા કેટલાક ઉમેદવારો કેમ કેટલા મતે એની ત્રુટીઓ શોધવી પડશે.અને આજથી જ એના પર કામે લાગીશું.રાજકોટમાં 1 ટર્મ સિવાય 50 વર્ષથી ભાજપનો દબદબો છે અને અમદાવાદમાં પણ 1987 થી સતત ભાજપ્નો દબદબો છે.પંડિત દીનદયાળ જીના સંકલ્પ્ને પૂર્ણ કરવા કાર્યકારો સતત કામ કરે છે.દરેક તકલીફમાં વિશ્વાસ સાથે લોકો ભાજપ્ના કાર્યકરોને બોલાવે છે.
એટલા માટે જ એન્ટી ઈન્કમબંસી આપણને નડતી નથી અને નડવાની નથી,જીતેલા ઉમેદવારોએ આભાર દર્શન શરૂ કરવુ જોઈએ.આજથી મતદારોના આભાર દર્શનની શરૂઆત કરો,કારણ કે ભાજપે જે કહ્યું છે તે કર્યું છે.પીએમ મોદી તેનું જીવંત ઉદાહરણ છે.કેટલાય કાર્યકરોના બલિદાન બાદ ભાજપ આ સ્થળે છે અને આજે આપણે આરામથી ચૂંટણી જીતીએ છીએ.કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે એટલે જીત આસાન થઈ છે પણ ભાજપે આવી આસાન જીતની ટેવ પાડવાની નથી.