ગુજરાતના પ્રદેશ ભાજપના આમંત્રિત કારોબારી સભ્ય અને પ્રદેશ ભાજપના પીઢ આગેવાન એવા દત્તાજી ચિરંદાસનું કોરોનાથી નિધન થયું છે.ભાજપના પાયાના કાર્યકર અને ભાજપને ઉંચાઈ પર લઈ જનાર સંગઠનમાં પ્રાણ પુરનાર એવા પીઢ દત્તાજી ચિરંદાસનું ૮૦ વર્ષની વયે કોરોનામાં બેજ દિવસમાં SVPમાં મોત નિપજ્યું છે.
ભાજપના વરિષ્ઠ આગેવાન અને માજી GIDC ચેરમેન રહ્યી ચુકેલા દત્તાજીએ વુધ્ધાવસ્થા વયે પણ ઉચ્ચ ગ્રેજ્યુએટની પરીક્ષા પસાર થોડાક વર્ષ પૂર્વે જ પસાર કરી હતી.તેમના દુખદ નિધનથી ભાજપના વરિષ્ઠ આગેવાન તેમજ કાર્યકરોએ શોક વ્યક્ત કયો છે.