– પ્રદીપસિંહ વાઘેલા વિરૂદ્વની પત્રિકાની તપાસનો મામલો
– ક્રાઇમ બ્રાંચના સિનિયર અધિકારીઓ પાસથીે એસઓજી તપાસ શરૂ કર્યાનો સંતોષકારક જવાબ ન મળ્યો
ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા વિરૂદ્વની પત્રિકા કેસની તપાસ કરી રહેલી એસઓજીના અધિકારીઓએ સિનિયર અધિકારીઓને જાણ કર્યા વિના જ શરૂ કરેલી તપાસનો મામલો વધુ ગુચવાયો છે.ક્રાઇમ બ્રાંચના સિનિયર અધિકારીઓ પાસે આ મામલે સંતોષકારક જવાબ ન હોવાને કારણે હવે એસઓજીના સિનિયર અધિકારીઓની વિદાય નિશ્ચિત હોવાનું મનાઇ રહ્યું છે.ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા વિરૂદ્વ ફરતી થયેલી પત્રિકાના કેસની તપાસ માત્ર રાજકીય દબાણને તાબે થઇને હાથમાં લીધા બાદ હવે સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઇ રહી.ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ પાસે એસઓજીના અધિકારીઓ સંતોષકારક ખુલાસો કરી શક્યા નથી.સાથે સાથે તેમની પાસે રહેલી ૨૦ લોકોની યાદીમાં ભાજપના મોટા નેતાઓ સાથે સંકળાયેલા લોકોના નામ હોવાને કારણે એસઓજીની કામગીરી પર પણ શંકા ઉપજી હતી.ત્યારે સત્તાની ઉપરવટ જઇને પત્રિકાકાંડની તપાસ શરૂ કરવાના મામલે ગૃહવિભાગ કાર્યવાહીના ભાગરૂપે આગામી સમયમાં અમદાવાદ એસઓજીના અધિકારીઓની વિદાય આપીને સજા વાળી પોસ્ટીંગ આપવામાં આવે તે નિશ્ચિત મનાઇ રહ્યું છે.