નારાયણ ત્રિપાઠી,શરદ કોલ બાદ હવે સંજય પાઠક પણ પંજાની પડખે !!
નવી દિલ્હી : મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. ભાજપે ઓપરેશન લોટસ દ્વારા કોંગ્રેસને હરાવવાનો પ્રયાસ કર્યો હતો. હવે મુખ્ય પ્રધાન કમલનાથે ભાજપના ત્રણ ધારાસભ્યોને કોંગ્રેસમાં લાવીને રાજકીય ગતીવિધી વધારી દીધી છે.સંજય પાઠક જેવા દિગ્ગજ નેતાઓના નામ પણ ભાજપના આ ત્રણ ધારાસભ્યોમા સામેલ છે.જેના પર આજ સુધી કોંગ્રેસ ઘોડાઓના વેપારનો આરોપ લગાવી રહી હતી. કોંગ્રેસના ધારાસભ્ય હરદીપસિંહ ડુંગના રાજીનામાના સમાચાર વચ્ચે મુખ્ય પ્રધાન કમલનાથે ભાજપને મોટો ઝટકો આપ્યો છે.બીજી તરફ ભાજપના ધારાસભ્ય શરદ કોલ પહેલાંથી જ કોંગ્રેસ સાથે ઉભા છે.નારાયણ ત્રિપાઠી અને શરદ કોલ ગયા વર્ષે જ બળવાખોર રૂપ અપનાવી ચૂક્યા છે, પરંતુ કમલનાથને મળ્યા બાદ ત્રીજું નામ સંજય પાઠકનું પણ જોડાઈ રહ્યું છે.સંજય ત્રિપાઠી અને નારાયણ ત્રિપાઠીને મધ્યપ્રદેશમાં મોટા ખનન ઉદ્યોગપતિ તરીકે ઓળખવામાં આવે છે. મંગળવારની રાત્રે મધ્યપ્રદેશની રાજનીતિનું સૌથી મોટું નાટક શરૂ થયું હતું. કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે બીજેપીના ધારાસભ્ય સંજય પાઠકનું નામ ખુલ્લેઆમ લઈ ભાજપને દોડતું કરી દીધું હતું.એવું પણ માનવામાં આવી રહ્યું છે કે સંજય પાઠકનું નામ સામે આવ્યા બાદ જબલપુર સ્થિત તેની ઘણી ખાણખદાનો પર છાપામારી કરવામાં આવી હતી.પાઠક ભાજપ પહેલાં કોંગ્રેસમાં હતા. કમલનાથ સહિતના કોંગ્રેસના નેતાઓ સાથે તેમના સારા સંબંધો છે. નારાયણ સિંહ અને શરદ કોલ તો ગત્ત વર્ષથી જ બળવો કરી બેઠા છે.પણ કમલનાથ સાથે મુલાકાત કર્યા બાદ ત્રીજુ નામ સંજય પાઠકનું જોડાઈ રહ્યું છે.3 માર્ચની રાતથી મધ્યપ્રદેશમાં કમલનાથની કોંગ્રેસ સરકારને ઉથલાવી ભાજપ પોતાનું કમળ ખીલવવાના પ્રયાસોમાં લાગ્યું છે.ગુરૂગ્રામના માનેસરમાં અપક્ષ 6 અને કોંગ્રેસના 4 ધારાસભ્યોને બંધક બનાવ્યાનો ભાજપ પર આરોપ લાગ્યો હતો.એ સમયે જ કમલનાથ સરકારના મંત્રી જીતુ પટવારી અને જયવર્ધન સિંહ ધારાસભ્યોને પરત લઈ ગયા હતા. જે પછી મધ્યપ્રદેશની રાજનીતિમાં જીભાજોડીનો જંગ જામ્યો હતો. જેમાં દિગ્વિજય સિંહ અને શિવરાજ સિંહ ચૌહાણ વચ્ચે ટકરાવ સપાટી પર આવ્યો હતો.
ભાજપની તડજોડની નીતિ હવે તેને જ ભારે પડી : કમલનાથે ભાજપના ત્રણ ‘કમળ’ ખેડવી લીધા !!

Leave a Comment