By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભાજપની તડજોડની નીતિ હવે તેને જ ભારે પડી : કમલનાથે ભાજપના ત્રણ ‘કમળ’ ખેડવી લીધા !!
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > National > ભાજપની તડજોડની નીતિ હવે તેને જ ભારે પડી : કમલનાથે ભાજપના ત્રણ ‘કમળ’ ખેડવી લીધા !!
NationalPolitics

ભાજપની તડજોડની નીતિ હવે તેને જ ભારે પડી : કમલનાથે ભાજપના ત્રણ ‘કમળ’ ખેડવી લીધા !!

HM News
Last updated: 06/03/2020 9:36 AM
HM News
5 years ago
Share
SHARE

નારાયણ ત્રિપાઠી,શરદ કોલ બાદ હવે સંજય પાઠક પણ પંજાની પડખે !!
નવી દિલ્હી : મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. ભાજપે ઓપરેશન લોટસ દ્વારા કોંગ્રેસને હરાવવાનો પ્રયાસ કર્યો હતો. હવે મુખ્ય પ્રધાન કમલનાથે ભાજપના ત્રણ ધારાસભ્યોને કોંગ્રેસમાં લાવીને રાજકીય ગતીવિધી વધારી દીધી છે.સંજય પાઠક જેવા દિગ્ગજ નેતાઓના નામ પણ ભાજપના આ ત્રણ ધારાસભ્યોમા સામેલ છે.જેના પર આજ સુધી કોંગ્રેસ ઘોડાઓના વેપારનો આરોપ લગાવી રહી હતી. કોંગ્રેસના ધારાસભ્ય હરદીપસિંહ ડુંગના રાજીનામાના સમાચાર વચ્ચે મુખ્ય પ્રધાન કમલનાથે ભાજપને મોટો ઝટકો આપ્યો છે.બીજી તરફ ભાજપના ધારાસભ્ય શરદ કોલ પહેલાંથી જ કોંગ્રેસ સાથે ઉભા છે.નારાયણ ત્રિપાઠી અને શરદ કોલ ગયા વર્ષે જ બળવાખોર રૂપ અપનાવી ચૂક્યા છે, પરંતુ કમલનાથને મળ્યા બાદ ત્રીજું નામ સંજય પાઠકનું પણ જોડાઈ રહ્યું છે.સંજય ત્રિપાઠી અને નારાયણ ત્રિપાઠીને મધ્યપ્રદેશમાં મોટા ખનન ઉદ્યોગપતિ તરીકે ઓળખવામાં આવે છે. મંગળવારની રાત્રે મધ્યપ્રદેશની રાજનીતિનું સૌથી મોટું નાટક શરૂ થયું હતું. કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે બીજેપીના ધારાસભ્ય સંજય પાઠકનું નામ ખુલ્લેઆમ લઈ ભાજપને દોડતું કરી દીધું હતું.એવું પણ માનવામાં આવી રહ્યું છે કે સંજય પાઠકનું નામ સામે આવ્યા બાદ જબલપુર સ્થિત તેની ઘણી ખાણખદાનો પર છાપામારી કરવામાં આવી હતી.પાઠક ભાજપ પહેલાં કોંગ્રેસમાં હતા. કમલનાથ સહિતના કોંગ્રેસના નેતાઓ સાથે તેમના સારા સંબંધો છે. નારાયણ સિંહ અને શરદ કોલ તો ગત્ત વર્ષથી જ બળવો કરી બેઠા છે.પણ કમલનાથ સાથે મુલાકાત કર્યા બાદ ત્રીજુ નામ સંજય પાઠકનું જોડાઈ રહ્યું છે.3 માર્ચની રાતથી મધ્યપ્રદેશમાં કમલનાથની કોંગ્રેસ સરકારને ઉથલાવી ભાજપ પોતાનું કમળ ખીલવવાના પ્રયાસોમાં લાગ્યું છે.ગુરૂગ્રામના માનેસરમાં અપક્ષ 6 અને કોંગ્રેસના 4 ધારાસભ્યોને બંધક બનાવ્યાનો ભાજપ પર આરોપ લાગ્યો હતો.એ સમયે જ કમલનાથ સરકારના મંત્રી જીતુ પટવારી અને જયવર્ધન સિંહ ધારાસભ્યોને પરત લઈ ગયા હતા. જે પછી મધ્યપ્રદેશની રાજનીતિમાં જીભાજોડીનો જંગ જામ્યો હતો. જેમાં દિગ્વિજય સિંહ અને શિવરાજ સિંહ ચૌહાણ વચ્ચે ટકરાવ સપાટી પર આવ્યો હતો.

અમો તમને કયાં ફાઈવ સ્ટાર-કોવિડ સુવિધાનું કહ્યું હતું! દિલ્હી સરકાર પર હાઈકોર્ટની ફટકાર
મોદી સરકારે આપી ગુરૂ પર્વની ભેટ, બુધવારથી ફરી ખુલશે કરતારપુર સાહિબ કોરિડોર
રશિયન પ્રમુખ પુતિનને ગંભીર બિમારી : રાજીનામુ આપશે
અશ્લીલ વીડિયો વાયરલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ કર્યો લૂલો બચાવ
શિવસેનાએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં હુમલા માટે કેન્દ્રને નિશાન બનાવ્યું, સામનામાં કર્યો પ્રહાર
Share This Article
Facebook Email Print
Previous Article ઇન્કમટેક્ષ અધિકારી વતી ૬ લાખની લાંચ લેનારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસીબી છટકામાં
Next Article કોરોનાની અસરઃ ભારતીય અર્થતંત્રને રૂ.૨૫૪૮ કરોડનું નુકશાન થશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up