By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભાજપની સસ્પેન્ડેડ નેતા નૂપુર શર્માને મુંબઇ પોલીસ પણ સમન્સ મોકલશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભાજપની સસ્પેન્ડેડ નેતા નૂપુર શર્માને મુંબઇ પોલીસ પણ સમન્સ મોકલશે
GeneralMumbai

ભાજપની સસ્પેન્ડેડ નેતા નૂપુર શર્માને મુંબઇ પોલીસ પણ સમન્સ મોકલશે

HM News
Last updated: 07/06/2022 7:44 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઇ : ઇસ્લામ ધર્મના ધર્મગુરુ મોહમંદ પયંગબર માટે વાંધાજનક ઉચ્ચારણો કરવા બદલ ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવાયેલાં રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માને મુંબઈમાં તેમની વિરુદ્ધ આ પ્રકરણમાં નોંધાયેલી ફરિયાદના સંદર્ભમાં સમન્સ મોકલવામાં આવશે એમ મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ જણાવ્યું છે.તાજેતરમાં જ્ઞાાનવાપી મુદ્દેે યોજાયેલી એક ટીવી ચર્ચા દરમ્યાન નૂપુર શર્માએ વાંધાજનક નિવેદન કરતા મુબઈના ંરઝા એકેડમીના જોઇન્ટ સેક્રેટરી ઇરફાન શેખે પાયધૂનીમાં તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે નૂપુર સામે ધાર્મિક લાગણી દૂભવવાના ગુનાસર આઇપીસીની કલમ ૧૫૩ એ અને ૫૦૫(૨) હેઠળ ગુનો નોંધ્યોે હતો.

બીજી તરફ નવી દિલ્હીમાં નૂપુર શર્માએ તેના પર જીવનું જોખમ હોવાની રજૂઆત કરતાં પોલીસે તેને ધમકીઓ આપનાર સામે પોલીસ ફરિયાદ નોંધી હતી.વિવાદાસ્પદ નિવેદન બાદ શર્માએ જણાવ્યુું હતું કે તેને મોતની ધમકીઓ મળી રહી છે.પોલીસે જણાવ્યું હતું કે એફઆઇઆરને આધારે અમે આ મામલે તપાસ કરીશું.નૂપુર શર્માએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે તેના પર તથા તેના પરિવાર પર જીવનું જોખમ હોવાથી તેના સરનામાને જાહેર ન કરવાની પ્રસારમાધ્યમોને વિનંતી કરી હતી.નૂ પુર શર્માના આ નિવેદનને કારણે આરબ વિશ્વમાં રોષ ફાટી નીકળ્યો હતો જેને પગલે નૂપુર શર્માને પક્ષના સામાન્ય સભ્યપદેથી પણ સસ્પેન્ડ કરવામાં આવી હતી.સસ્પેન્શન બાદ નૂપુર શર્માએ તેના નિવેદનથી કોઇની લાગણી દૂભાઇ હોય તો તે નિવેદનને પોતે પાછું ખેંચી રહી છે તેવી જાહેરાત કરી હતી.તેણે જણાવ્યું હતું કે મારો ઇરાદો કોઇની ધાર્મિક લાગણી દૂભવવાનો નહોતો.કોંગ્રેસે આ મુદ્દે પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે ભાજપે આ નાટકો કર્યા વિના પક્ષમાં રહેલાસમાજવિરોધી તત્વોની ધરપકડ કરવી જોઇએ.

ONGC અને HPCLએ પેટ્રોનેટ MHBને રૂ 371 કરોડમાં ખરીદી
‘આ બધાને કોણ તમારો બાપ ખવડાવશે’, રૂપાણી સરકારના મંત્રી સોશિયલ મીડિયા પર બગડ્યા
લવ જેહાદ અંગે મોટા સમાચાર : કાયદાની કેટલીક કલમોની અમલવારી પર હાઈકોર્ટનો મનાઈ હુકમ
ખૂન, મારામારી જેવા ગંભીર ગુનાના વોંટેડ આરોપીને સુરત જિલ્લા એસઓજી પોલીસે ઝડપી પાડ્યો
મેક્સિકોની જેલ પર બંદૂકધારીઓનો હુમલો : 14ના મોત, 24 કેદી ફરાર
Share This Article
Facebook Email Print
Previous Article પંજાબ ગાયક મૂસેવાલા હત્યાના 2 શકમંદ શૂટર પુણેના હોવાની શંકા
Next Article કેબમાં વસ્તુઓ ભુલી જવામાં મુંબઈના પ્રવાસીઓ દેશમાં સૌથી મોખરે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up