– ૧૯૯૫ દરમ્યાન કાશીરામ રાણા પ્રદેશ પ્રમુખ હતા ત્યારબાદ ૨૪ વર્ષમાં પહેલીવાર દક્ષિણ ગુજરાતના સીઆર પાટીલને પ્રદેશ પ્રમુખનું પદ આપવામાં આવ્યું છે
ગુજરાત ભાજપનો રસપ્રદ ઇતિહાસ જોઇએ તો પાર્ટીને પ્રથમ સંપૂર્ણ સત્તા દક્ષિણ ગુજરાતના નેતાએ અપાવી છે પરંતુ ત્યારપછીના સૌરાષ્ટ્ર્રના નેતાઓએ પાર્ટીને ગુજરાતમાં સત્તા અપાવી છે.દક્ષિણ ગુજરાત પચી સૌરાષ્ટ્ર્રના પ્રદેશ પ્રમુખ ભાજપને ફળ્યા છે.ઉત્તર ગુજરાતના એકમાત્ર નેતા શંકરસિંહ વાઘેલા પાર્ટી પ્રેસિડેન્ટ રહી ચૂકયાં છે પરંતુ તેઓએ તેમના કાર્યકાળ દરમ્યાન પાર્ટીના સત્તા અપાવી નથી.
૧૯૯૫માં ભાજપને યારે પહેલીવાર સત્તા મળી ત્યારે કાશીરામ રાણા પ્રદેશ પ્રમુખ હતા.તેમણે ભાજપને સત્તા અપાવવા ખૂબ મહેનત કરી હતી.કાર્યકર્તાઓને ચાર્જમાં રાખવાનું કામ આ સુરતી નેતાએ કયુ હતું પરંતુ સમય જતાં પાર્ટી આ નેતાને ભૂલી ચૂકી હતી છેવટે નવી પાર્ટીમાં જઇને આ નેતાએ અંતિમ શ્વાસ લીઘા હતા.તેમના પછી તેમના સિવાયના બીજા નેતાઓ સૌરાષ્ટ્ર્રમાંથી આવ્યા છે અને સફળ રહ્યાં છે.
ગુજરાતમાં ભાજપને પૂર્ણ સત્તા દક્ષિણ ગુજરાતે અપાવી છે પરંતુ યારથી ભાજપ સત્તામાં છે ત્યારથી અત્યાર સુધી ભાજપને સૌરાષ્ટ્ર્રના પ્રદેશ પ્રમુખ ફળ્યા છે. શંકરસિંહ વાઘેલા કે જેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ રહી ચૂકયા છે તેઓ ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા હતા.ગુજરાત ભાજપના પ્રમુખપદે કેશુભાઇ પટેલ હતા ત્યારે પાર્ટીએ ગુજરાતમાં બહત્પ મોટો સંઘર્ષ કર્યેા હતો.સત્તામાં આવવા માટે ભાજપ પાસે કોઇ કારણ ન હતા.૧૯૮૮ પછી હિન્દુત્વનો કેવળ રાષ્ટ્ર્રીય એજન્ડા નક્કી થયો હતો જેના કારણે ભાજપને ૧૯૯૫માં સંપૂર્ણ સત્તા મળી હતી.
ગુજરાતમાં ભાજપને સત્તા અપાવવામાં કેશુભાઇ પટેલ, શંકરસિંહ વાઘેલા, ચીમન શુકલ, કાશીરામ રાણા, નારસિંહ પઢિયાર, નરેન્દ્ર મોદી અને સંજય જોષીનો બહત્પ મોટો હાથ હતો.કેશુભાઇ અને શંકરસિંહ એ બન્ને એવા નેતા છે કે જેમણે ગુજરાતના તમામ ગામડા ખૂંદેલા છે.ગુજરાતમાં ભાજપની સત્તા આવી ત્યારે સંગઠનના મુખ્ય હોદ્દા પર દક્ષિણ ગુજરાતના સિનિયર નેતા કાશીરામ રાણા પ્રદેશ પ્રમુખ હતા.એ પછી રાજેન્દ્રસિંહ રાણા, વજુભાઇ વાળા, પરસોત્તમ પાલા અને આર.સી. ફળદુએ પ્રદેશ પ્રમુખનું પદ સંભાળ્યું છે.
વજુભાઇ વાળા, આર.સી.ફળદુ અને રાજેન્દ્રસિંહ રાણાના સમયમાં પાર્ટીને વિવિધ ચૂંટણીમાં વિજયની મોટી તક મળી હતી.પાર્ટીએ છેલ્લે પ્રદેશ પ્રમુખની જવાબદારી વિજય પાણીને આપી હતી પરંતુ તેઓ લાંબો સમય સુધી રહ્યાં નહીં. તેમને પછી સરકારમાં લઇ લેવામાં આવ્યા હતા.તેમના પછી ભાવનગરમાંથી પાર્ટીએ જીતુ વાઘાણીને પાર્ટી પ્રેસિડેન્ટની તક આપી છે અને તેમના નેતૃત્વમાં વિધાનસભાની ૨૦૧૭ની વિધાનસભા લડવામાં આવી હતી.
ગુજરાતમાં જનસઘં થી લઇને ભાજપ માટે પાંચ દસકા સુધી લોહી પસિનો એક કરનારા કાશીરામ રાણા મુખ્યમંત્રી બની શકયા નહીં તેનો દક્ષિણ ગુજરાતને વસવસો છે.૧૯૯૬માં એક તક મળી હતી પરંતુ પાર્ટી હાઇકમાન્ડે છેવટે સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવ્યા હતા.૧૯૯૫માં કાશીરામ રાણા ભાજપના પ્રદેશ પ્રમુખ હતા અને તેમના પ્રખર જોડીદાર ફકીર ચૌહાણ સુરત ભાજપના પ્રમુખ હતા ત્યારે ન ભૂતો ન ભવિષ્યતિ ની જેમ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ૯૯માંથી ૯૮ બેઠક મળી હતી. નરેન્દ્ર મોદીનો જાદુ ચરમસીમાએ હતો ત્યારે પણ ભાજપ આ સિદ્ધિ પાછી મેળવી શકયું નથી


