By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભાજપને મળી રહી છે પૂર્ણ બહુમતી ઘણી વધુ બેઠકો પર : મતદાન પૂર્વે બહાર આવ્યા વધુ બે ખ્યાતનામ સર્વેના Exclusive પરિણામ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભાજપને મળી રહી છે પૂર્ણ બહુમતી ઘણી વધુ બેઠકો પર : મતદાન પૂર્વે બહાર આવ્યા વધુ બે ખ્યાતનામ સર્વેના Exclusive પરિણામ
GeneralGujarat NowPolitics

ભાજપને મળી રહી છે પૂર્ણ બહુમતી ઘણી વધુ બેઠકો પર : મતદાન પૂર્વે બહાર આવ્યા વધુ બે ખ્યાતનામ સર્વેના Exclusive પરિણામ

HM News
Last updated: 30/11/2022 10:22 AM
HM News
3 years ago
Share
SHARE

ગુજરાતના કચ્છ,સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર 1લી ડિસેમ્બરના રોજ પહેલા તબક્કામાં મતદાન થવાનું છે.જયારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર 5મી ડિસેમ્બરના રોજ બીજા તબક્કામાં મતદાન થવાનું છે.સોમવાર, 28 નવેમ્બરના રોજ જયારે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે 2 દિવસ જ બાકી રહ્યા હતા ત્યારે વધુ બે ખ્યાતનામ સર્વેના પરિણામ બહાર આવ્યા હતા.ઇન્ડિયા ટીવી-મેટ્રિઝ અને એબીપી-સીવોટર તરફથી બહાર પાડવામાં આવેલ અંતિમ સર્વે પરિણામમાં ભાજપને ફરી એકવાર પૂર્ણ બહુમતી મળતી જોવા મળે છે.

આમ તો ગુજરાત વિધાનસભા ચૂંટણીના બંને તબક્કાના મતદાનનું પરિણામ 8 ડિસેમ્બરે આવવાનું છે ત્યારે હમણાં જુદી જુદી સમાચાર ચેનલો પોત-પોતાના ઓપિનિયન પોલના પરિણામો બહાર પાડી રહી છે.ગુજરાત માટેના તમામ સર્વેના પરિણામમાં એક બાબત સ્પષ્ટ છે કે ગુજરાતમાં ફરી એકવાર મોટી પૂર્ણ બહુમતી સાથે ભારતીય જાણતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે.

ઇન્ડિયા ટીવી-મેટ્રિઝ ફાઇનલ ઓપિનિયન પોલ

ખ્યાતનામ ખાનગી સમાચાર ચેનલ ઇન્ડિયા ટીવીએ મેટ્રિઝ નામની સંસ્થા સાથે મળીને કરેલ સર્વે અને ઓપિનિયન પોલનું અંતિમ પરિણામ ગઈકાલે જાહેર કર્યું હતું.જેમાં ભાજપ ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવતી નજરે પડી રહી છે.

BJP to get 117 seats in Gujarat polls: India TV opinion poll…

Now what Kejriwal has to say ? pic.twitter.com/qU5I3msbvS

— PoliticsSolitics (@IamPolSol) November 28, 2022

આ સર્વેમાં જાહેર કરાયેલ પક્ષ અનુસાર સંભવિત બેઠકો આ મુજબ છે.

– ભારતીય જનતા પાર્ટી : 117 (+18)
– ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ : 59 (-22)
– આમ આદમી પાર્ટી : 4 (+4)
– અન્ય : 2 (0)

આ સર્વેમાં દરેક રાજકીય પક્ષના સંભવિત વોટ શેર આ મુજબ છે.

– ભારતીય જનતા પાર્ટી : 50%
– ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ : 39%
– આમ આદમી પાર્ટી : 08%
– અન્ય : 03%

આમ આ સર્વે મુજબ ગુજરાતમાં ભાજપને ગત ચૂંટણી કરતા 18 બેઠકોનો ફાયદો થતો દેખાઈ રહ્યો છે અને કોંગ્રેસને 22 સીટોનું નુકશાન. કોંગ્રેસની 4 સીટો આમ આદમી પાર્ટી ઝૂંટવી રહી હોય તેવું પણ દેખાય છે.

ABP-CVoter ફાઈનલ સર્વે

https://twitter.com/ElectionsnIndia/status/1597235303848480770?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1597235303848480770%7Ctwgr%5E0f487113169ac23c955f383ce15d1d99e68320e5%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fgujarati.opindia.com%2Fpolitics%2Fall-surveys-gives-huge-majority-to-bjp-in-gujarat-election%2F

અન્ય એક જાણીતી સમાચાર ચેનલ ABP ન્યુઝએ પોતાના એક ભાગીદાર CVoter એ પણ ગઈકાલે જ પોતાના સર્વેનું પરિણામ જાહેર કર્યું હતું.જેમાં તો ભાજપ ઐતિહાસિક સંખ્યામાં બેઠકો મેળવીને સરકાર બનાવતી નજરે પડી રહી છે.

આ સર્વેમાં જાહેર કરાયેલ પક્ષ અનુસાર સંભવિત બેઠકો આ મુજબ છે.

– ભારતીય જનતા પાર્ટી : 134-142
– ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ : 28-36
– આમ આદમી પાર્ટી : 7-15
– અન્ય : 0-2

આ સર્વેમાં દરેક રાજકીય પક્ષના સંભવિત વોટ શેર આ મુજબ છે.

– ભારતીય જનતા પાર્ટી : 49.5%
– ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ : 26.9%
– આમ આદમી પાર્ટી : 21.2%
– અન્ય : 07%

ચૂંટણીનું સમયપત્રક

નોંધનીય છે કે ગુજરાત વિધાનસભામાં 2 તબક્કામાં મતદાન થવાનું છે અને બંનેનું પરિણામ એક જ દિવસે આવવાનું છે.ગુજરાતના કચ્છ,સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર 1લી ડિસેમ્બરના રોજ પહેલા તબક્કામાં મતદાન થવાનું છે.જયારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર 5મી ડિસેમ્બરના રોજ બીજા તબક્કામાં મતદાન થવાનું છે.બંને તબક્કાઓના મતદાનનું પરિણામ એકસાથે 8 ડિસેમ્બરના રોજ થવાનું છે.જે બાદ ગુજરાતને નવી સરકાર મળશે.

આશીર્વાદ લેવા વાળા રાજનેતાઓની યાત્રા જો નીકળતી હોય તો આશીર્વાદ આપવા વાળા ગણેશજીની યાત્રા પણ ડી.જે સંગીત સાથે કાઢવા માંગ
મંદિર પરિસરથી રથયાત્રાના માર્ગ પર ABVP કાર્યકરો દ્વારા સફાઇ ઝૂંબેશ
મંત્રીઓની ધરપકડ બાદ CBI ઓફિસ પર TMC નાં કાર્યકર્તાઓ દ્વારા પથ્થરમારો
સેલવાસના ભસતા ફળિયા ખાતે સર્વ સમાજ દ્વારા સ્વ.મોહનભાઇ ડેલકરને શ્રદ્ધાંજલિ અપાઈ
દેશમાં ૯૪ ટકા શ્રમિકોની કમાણી ૧૦ હજાર રૂપિયાથી ઓછી : ઈ-શ્રમ પોર્ટલ
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાતના પાટીદાર આંદોલનથી જન્મેલા નેતાઓ અને રાજકારણ : જાણો હાલ એ દરેક ક્યાં પોતાનું રાજકીય ભવિષ્ય જંખી રહ્યા છે
Next Article વિધાનસભા ચૂંટણી-2022 : પ્રથમ તબક્કા માટેના પ્રચારનો અંત, 2 કરોડથી વધુ મતદાર પર ઉમેદવારોની નજર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up