ભાજપમાં જોડાયા બાદ સસરા મુલાયમસિંહના આશીર્વાદ લેવા પહોંચ્યા અપર્ણા યાદવ

HM News
1 Min Read

લખનૌ,તા.21.જાન્યુઆરી શુક્રવાર : ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ મુલાયમ સિંહ યાદવના પુત્રવધુ અપર્ણા યાદવ આજે સમાજવાદી પાર્ટીના સ્થાપક અને પૂર્વ સીએમ મુલાયમસિંહના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.

એ પછી અપર્ણાને આશીર્વાદ આપતી મુલાયમસિંહની તસવીર અપર્ણા યાદવે જાતે જ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.જે હવે વાયરલ થઈ રહી છે.

અર્પણાને આશીર્વાદ આપતી વખતે મુલાયમસિંહ યાદવના ચહેરના પરના જે ભાવ છે તેની પણ ચર્ચા થઈ રહી છે.સ્વાભાવિક છે કે,અપર્ણા યાદવે તેનો રાજકીય ફાયદો લેવા માટે જ આ તસવીર ખેંચાવડાવીને શેર કરી છે.

આ વાત કદાચ મુલાયમસિંહ યાદવ પણ સમજતા હશે.આમ છતા તેમણે અખિલેશની સામેની છાવણીમાં જતી રહેલી પુત્રવધુને આશીર્વાદ આપવામાં ખચકાટ બતાવ્યો નહોતો.

આ પહેલા અખિલેશ યાદવે પણ અપર્ણા યાદવને ભાજપમાં જોડાવા પર શુભેચ્છાઓ આપતા કહ્યુ હતુ કે,સારી વાત છે કે ભાજપમાં પણ હવે સમાજવાદી વિચાર ધારાનો પ્રસાર પ્રચાર થશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *