અમદાવાદ : રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડોદરાના કરજણના કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું આપ્યુ હોવાની ચર્ચા સામે આવી છે.મળતી માહિતી પ્રમાણે અક્ષય પટેલ છેલ્લા ઘણાં સમયથી પ્રદેશ નેતાગીરીથી નારાજ હતા ત્યારે ધારાસભ્ય અક્ષય પટેલે ફોન પણ સ્વીચ ઓફ કર્યો અને પોતાના ઘરે પણ નથી.બીજી તરફ અન્ય બે ધારાસભ્યો જીતુ ચૌધરી અને કાંતિ સોઢા પરમાર રાજીનામુ આપે તેવી શક્યતા છે.
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના પાંચ ધારાસભ્યોનાં રાજીનામાં પડ્યાં છે. આ રાજકીય ઉથલ પાથલના કારણે હવે કોંગ્રેસે રાજ્યસભાની એક બેઠક ગુમાવવી પડે એવી સ્થિતિ થઈ છે.બીજી તરફ ભાજપ ત્રીજી બેઠક જીતવાની નજીક આવી ગઈ હતી.પરંતુ હજુ ભાજપ 2થી 3 ધારાસભ્યોને રાજીનામા અપાવવાની વેતરણમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે આખરે કેમ આવો જોઈએ.
કોંગ્રેસના બંને ઉમેદવારોનું જીતનું ભાવિ અદ્ધરતાલ
બીટીપીના 2 મત મળે તો જ કોંગ્રેસના બંને ઉમેદવાર જીતી શકે
અક્ષય પટેલના રાજીનામાની સ્થિતિમાં બીટીપીના બે મત ન મળે તો કોંગ્રેસના એક ઉમેદવારની હાર નક્કી
અક્ષય સહિત કોંગ્રેસનું સંખ્યાબળ 68
અક્ષયના રાજીનામાની સ્થિતિમાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 67 થાય
કોંગ્રેસના બંને ઉમેદવારોને જીતવા 70 મતની છે જરૂર
કોંગ્રેસને 67 પ્લસ મેવાણીનો એક મત મળી શકે
70 સુધી પહોંચવા બીટીપીના બે મત કોંગ્રેસ માટે નિર્ણાયક