By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભાજપે રાહુલ ગાંધી પર મૂક્યો ખેડૂતોને ઉશ્કેરવાનો આરોપ, કોંગ્રેસે કહ્યું- અમિત શાહને હાંકી કાઢો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભાજપે રાહુલ ગાંધી પર મૂક્યો ખેડૂતોને ઉશ્કેરવાનો આરોપ, કોંગ્રેસે કહ્યું- અમિત શાહને હાંકી કાઢો
GeneralNationalPolitics

ભાજપે રાહુલ ગાંધી પર મૂક્યો ખેડૂતોને ઉશ્કેરવાનો આરોપ, કોંગ્રેસે કહ્યું- અમિત શાહને હાંકી કાઢો

HM News
Last updated: 28/01/2021 6:49 AM
HM News
4 years ago
Share
SHARE

પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા બદલ હવે રાજકારણ શરૂ થઈ ગયું છે.આ હિંસા બદલ ભાજપ અને કોંગ્રેસે એકબીજા પર આક્ષેપ કયર્િ છે. ભાજપે રાહુલ ગાંધી પર આક્ષેપ કર્યો છે કે તેમણે ખેડૂતોને ઉશ્કેયર્િ હતા.જ્યારે કોંગ્રેસે ગૃહમંત્રી અમિત શાહને જવાબદાર ગણાવ્યા હતા અને તેમને દેશના સૌથી નબળા ગૃહ મંત્રી કહ્યા છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે ખેડૂતોને બદનામ કરવા માટે મોદી સરકારે આ સુનિયોજીત કાવતરૂ રચ્યું હતું.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસે ખેડૂતોનું આંદોલન ભડકાવ્યું છે અને ભારત કોઈ પણ ભોગે ત્રિરંગાનું અપમાન સહન કરશે નહીં. ભાજપના હેડક્વાર્ટર પર પત્રકાર પરિષદને સંબોધતા જાવડેકરે જણાવ્યું હતું કે,જે લોકોને ચૂંટણીઓમાં પરાજય મળ્યો છે તેવા લોકો દેશમાં કોઈ પણ રીતે અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.રાહુલ ગાંધી ફક્ત વિરોધ પ્રદર્શનને સમર્થન જ નથી આપી રહ્યા પરંતુ ઉશ્કેરણી પણ કરી રહ્યા છે.આવું જ સીએએ વખતે થયું હતું.કોંગ્રેસે રેલીઓ યોજી હતી, તેમણે લોકોને રસ્તા પર આવી જવા માટે ઉશ્કેયર્િ હતા અને બીજા દિવસે હિંસા થઈ હતી.ખેડૂતોના આંદોલન વખતે પણ આવું જ થયું છે. તેમણે ખેડૂતોને ઉશ્કેયર્િ છે,તેમ જાવડેકરે જણાવ્યું હતું.

અગાઉ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ 26 જાન્યુઆરીએ થયેલી હિંસા માટે મોદી સરકારને જવાબદાર ગણાવી હતી અને ખેડૂતોના આંદોલનને બદનામ કરવા માટે કાવતરૂ રચ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.સુરજેવાલાએ સવાલ કર્યો હતો કે 500 લોકોનું ટોળુ પોલીસની સહાય વગર લાલ કિલ્લાની અંદર પ્રવેશ કેવી રીતે કરી શકે.પોલીસે પ્રેક્ષકની જેમ આ બધુ જોતી રહી હતી.

તેમણે કહ્યું હતું કે,ખેડૂતોના આંદોલનને બદનામ કરવા માટે મોદી સરકાર દ્વારા આ કાવતરૂ રચવામાં આવ્યું હતું અને તેમને બહાર આવવા મજબૂર કયર્િ જેથી કરીને તેઓ ત્રણ કૃષિ વિરોધી કાળા કાયદાને પાછા લેવાની માંગણી પડતી મૂકે.કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તરફથી આ સુરક્ષામાં ઘણી મોટી ખામી છે અને ઈન્ટેલિજન્સની નિષ્ફળતા છે.કોઈ પણ જાતનો વિલંબ કયર્િ વગર અમિત શાહને હકાલપટ્ટી કરી દેવી જોઈએ.

સુરજેવાલાએ કહ્યું હતું કે, શું આવા ગૃહ મંત્રીને એક દિવસ માટે પણ તેમના પદ પર રહેવા દેવા જોઈએ? જે ભારતના 73 વર્ષના ઈતિહાસના સૌથી નબળા ગૃહ મંત્રી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમિત શાહને હાંકી કાઢવા જોઈએ અને જો તેઓ તેમ ન કરે તો વડાપ્રધાન પણ દેખીતી રીતે ખેડૂત આંદોલનને બદનામ કરવાના કાવતરામાં ભાગીદાર છે.

દીપ સિદ્ધુ સામે કેસ ન થતાં વિરોધ પક્ષોએ ઉઠાવ્યા સવાલ

પ્રજાસત્તાક દિવસે થયેલી હિંસામાં 400 જેટલા પોલીસ જવાનો ઈજાગ્રસ્ત થયા છે. દિલ્હી પોલીસે 25 કેસ નોંધ્યા છે અને હિંસા સંબંધમાં 19 લોકોની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆરઆઈમાં ઘણા ખેડૂત નેતાઓનું નામ પણ લખવામાં આવ્યું છે.જોકે,વિરોધ પક્ષોએ સવાલ ઉઠાવ્યો છે કે એક્ટરમાંથી એક્ટિવિસ્ટ બનેલા દીપ સિંદ્ધુ કે લાખા સિંધાના સામે કેમ કોઈ કેસ દાખલ કરવામાં આવ્યો નથી.
નોંધનીય છે કે દીપ સિદ્ધુ સામે ઘણા સવાલો ઉઠી રહ્યા છે.દીપ સિદ્ધુએ જ પ્રજાસત્તાક દિવસે લાલ કિલ્લા પર ધાર્મિક ધ્વજ ફરકાવ્યો હતો.ઘણા ખેડૂત સંગઠનોએ ખેડૂતોની ટ્રેક્ટર પરેડને લાલ કિલ્લા તરફ લઈ જવા માટે દીપ સિદ્ધુને જ જવાબદાર ગણે છે.ખેડૂત સંગઠનોએ ખેડૂત આંદોલનને બદનામ કરવા માટે દીપ સિદ્ધુએ આવું કર્યું છે તેવા આક્ષેપો પણ કયર્િ છે.

ફ્રાન્સથી બ્રિટન જતાં ૩૧ શરણાર્થીઓનાં ઈંગ્લિશ ચેનલમાં ડૂબી જવાથી મોત
સરકારે જકાતમુક્ત આયાતની છૂટ આપતા સોયાબીન, સનફ્લાવર તેલ સસ્તાં થશે
હું તો કુંવારો છું એમ કહીને 12 યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી, સગીરાને લપેટમાં લેતી વખતે ફૂટ્યો ભાંડો
કોરોના કહેર: મુંબઈના 53 પત્રકારોનું રિઝલ્ટ પૉઝિટિવ આવતાં ખળભળાટ મચ્યો
મકાનનો જર્જરિત ભાગ ધરાશાયી થતાં ૬ લોકોને રેસ્ક્યૂ કરાયાં, ૨ ઇજાગ્રસ્ત
Share This Article
Facebook Email Print
Previous Article સાપ ગયા લીસોટા રહ્યા : લેડી ડોન સોનુ ડાંગર ગેંગના વોન્ટેડ સાગ્રીત પોલીસ પર કર્યું ફાયરીંગ: મહિલા સહિત બેની ધરપકડ
Next Article ખાલિસ્તાની સમર્થકો દ્વારા રોમમાં ભારતીય દુતાવાસમાં તોડફોડ કરાય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up