– ભાજપમાં પાટીદાર સમાજ બહુમતમાં છે: રૂપાલા
– ભાજપ-પાટીદાર સમાજ એકબીજાના પર્યાય
12 ઓક્ટોબરથી ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા શરૂ થઇ છે.તે અંતર્ગત કેન્દ્રિય મંત્રીઓ ગુજરાત પ્રવાસે છે.ત્યારે કેન્દ્રિય મંત્રી પુરસોત્તમ રૂપાલાએ અરવલ્લીમાં ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.આ પહેલા ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.જેમાં કેન્દ્રિય મંત્રીએ જણાવ્યુ હતુ કે “ભાજપ-પાટીદાર સમાજ એકબીજાના પર્યાય છે.
આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના પાટીદારો અંગેના નિવેદન પર કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે.મોડાસામાં ભાજપ દ્વારા પ્રેસ કોંફરન્સ યોજાઈ હતી.જેમાં પુરસોત્તમ રૂપાલા,શંકર ચૌધરી સહિત ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.અહીં તેમણે નિવેદન આપ્યું હતું કે, પાટીદાર અને ભાજપ એકબીજાના પર્યાય. ભાજપ અને પાટીદારો એકબીજાના પર્યાય હતા, છે અને રહેશે.
મહત્વનું છે કે ગઇ કાલે આપ નેતા ગોપાલ ઇટાલિયાએ કહ્યુ હતુ કે ભાજપ પાટીદાર સમાજને નફરત કરે છે.હું સરદાર પટેલનો વંશજ છું.જ્યારે આજે ખોડલધામના દર્શન કરવા માટે પહોંચેલા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતુ કે હું પાટીદાર છું એટલા માટે પાટીદાર વિરોધી ભાજપ રાષ્ટ્રીય કક્ષાએ મારા વિરુદ્ધ ષડયંત્ર રચી રહી છે.બીજી બાજુ ભાજપના નેતાઓ પાટીદારને ભાજપના પર્યાપ ગણાવી રહ્યા છે.એટલે કે ચૂંટણી ટાણે હવે પાટીદારને કેન્દ્રમાં રાખીને રાજકીય પક્ષો રાજનિતી કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચૂંટણીમાં સત્તા પક્ષ ભાજપ સામે આમ આદમી પાર્ટી જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે.ત્યારે ક્યારેક આમ આદમી પાર્ટીના નેતાની રેલીઓ રદ્દ કરવી કે પછી ક્યારેક ધરપકડ કરવા બાબતે આપ ભાજપ પર આકરા પ્રહાર કરી રહ્યુ છે.