હિમતનગર, 31 મે : ગઈકાલે કેવળીયા ખાતે આદીવાસીઓના હક માટે આવેદનપત્ર આપવા જઈ રહેલા ખેડબ્રહ્માના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક એવા અશ્વિન કોટવાલે આજે ભાજપ સામે નિશાન તાક્યું છે અને ભાજપ સરકાર આદિવાસી વિરોધી પાર્ટી હોવાનુ જણાવ્યુ છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યા બાદ એ સ્થળનો ટુરીઝમ તરીકે વિકાસ કરવા માટે હાલમાં ફેન્સીંગની કામગીરી ચાલુ છે.ત્યારે ત્યાના સ્થાનિક આદિવાસીઓનો આમાં વિરોધ પહેલેથી હોવા છતાં તાજેતરમાં પોલીસ દ્વારા આદિવાસીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે,જેના વિરોધમાં ગઈ કાલે કોંગ્રેસનાં ધારાસભ્યો કેવળીયા ખાતે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવા જઈ રહ્યા હતા.ત્યારે પોલીસ દ્વારા વિધાનસભાના દંડક અને ખેડભ્ર્હ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલને કત્પુર ટોલ નાકા પાસે અટકાવી તેમની અટકાયત કરી દેવાયી હતી.આદિવાસીઓને તેમની જ જમીનોમાથી માર મારી કાઢી મુકાતા હોવાની વાતને લઈને આવેદનપત્ર કાર્યક્રમમાં જઈ રહેલા ધારાસાભ્ય અશ્વિન કોટવાલને કાલે અટકાવ્યા હતા ત્યારે આ વાતને લઈને તેમણે આક્રોશ સાથે જણાવ્યું હતું કે ભાજપ સરકાર આદિવાસી વિરોધી પાર્ટી હોવાનુ જણાવ્યુ છે.અને આદિવાસીઓને પણ ગુજરાતમાં રહેવાનો અધિકાર છે.અન તેમને કોઈ કાલે આ હકથી વંચિત નાં કરી શકાય.