By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભાજપ ચીટિંગબાજ પાર્ટી છે, રાજકારણ માટે તે કાંઈપણ કરી શકે : મમતા વિફર્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભાજપ ચીટિંગબાજ પાર્ટી છે, રાજકારણ માટે તે કાંઈપણ કરી શકે : મમતા વિફર્યા
GeneralNationalPolitics

ભાજપ ચીટિંગબાજ પાર્ટી છે, રાજકારણ માટે તે કાંઈપણ કરી શકે : મમતા વિફર્યા

HM News
Last updated: 22/12/2020 11:54 AM
HM News
5 years ago
Share
SHARE

કોલકતા : પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે વાર અને પ્રતિવારનો સિલસિલો ચાલી રહ્યો છે.ગૃહપ્રધાન અમિત શાહના બે દિવસના બંગાળ પ્રવાસ પછી સોમવારે મુખ્યપ્રધાન મમતા બેનરજીએ પત્રકાર પરિષદમાં પોતાના પક્ષની ઉપલબ્ધિ ગણાવીને ભાજપ પર પ્રહારો કર્યા હતા.અમિત શાહે ઉઠાવેલા સવાલો વિષે મમતા બેનરજીએ જણાવ્યું હતું કે,’ ગૃહપ્રધાનને જુઠ્ઠું બોલવું શોભા નથી આપતું. હું તેમના સવાલોના જવાબ કાલે આપીશ.ભાજપ ચીટિંગબાજ પક્ષ છે,રાજકારણ માટે તે કાંઈ પણ કરી શકે છે.’મમતા બેનરજીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ભ્રમ ફેલાવી રહી છે.મમતાએ કહ્યું કે ૨૮ ડિસેમ્બરે તેઓ એક વહીવટી બેઠકમાં ભાગ લેવા બીરભૂમ જશે અને ૨૯ તારીખે ત્યાં રેલી કરશે.બીરભૂમના બોલપુર ખાતે અમિત શાહે રવિવારે રોડ શો કર્યો હતો.રોડ શો કર્યા પછી અમિત શાહે જણાવ્યું હતું કે બંગાળ શિક્ષણ,આરોગ્ય અને વિકાસ મોરચે પીછેહટ કરી રહ્યું છે.પરંતુ ભ્રષ્ટાચાર,કુટુંબવાદ અને રાજકીય હિંસામાં નંબર વન બની ગયું છે.પત્રકાર પરિષદમાં મમતા બેનરજીએ કહ્યું હતું કે,’ ખોટા તથ્યો બોલીને અમિત શાહ બંગાળના લોકોનું અપમાન ના કરે.’

સીએએ, એનઆરસીનો વિરોધ ચાલુ રહેશે : મમતા

અમિત શાહને જવાબ આપતાં મમતાએ કહ્યું હતું કે ભાજપના નેતાઓ કાંઈપણ બોલી શકે છે.તેમણે નાગરિકતા સંશોધન વિધેયક મુદ્દે પણ વાત કરી.તેમણે કહ્યું કે,’ સીએએ કાયદો પસાર થયો ત્યારથી અમે વિરોધ કરી રહ્યા છીએ.ભાજપ લોકોનું ભાવિ નક્કી ના કરી શકે,લોકોને તેમનું ભવિષ્ય નક્કી કરવા દો. અમે સીએએ, એનપીઆર અને એનઆરસીના વિરોધમાં છીએ.કોઈ પણ વ્યક્તિએ દેશ છોડવાની જરૂર નથી.’

મમતાની ‘આઉટ સાઇડર્સ’ ટિપ્પણી : રાજ્યપાલે બંધારણની યાદ અપાવી

પ.બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી તાજેતરમાં રેલીઓને સંબોધન કરતાં ભાજપ તે બહારના લોકો પક્ષ હોવાનું કહીને તેના નેતા પણ રાજ્ય બહારના હોવાનું કહેતા રહ્યા છે.રાજ્યપાલ જગદીપ ધનકરે મમતાનું નામ લીધા વિના જ આવા નિવેદન બદલ તેમને આત્મચિંતન કરવા સૂચવ્યું હતું.તેમણે કહ્યું કે,’ આવી સંસ્કૃતિ ગેરબંધારણીય છે.આવું બોલનારાને હું બંધારણ વાંચવા વિનંતી કરું છું.’

CM રૂપાણીના હસ્તે અમદાવાદ મહાનગરને ૧,૦૭૮ કરોડનાં વિકાસ કાર્યોની ભેટ મળી
દોષ છે કહી ભુવા પાસે વિધિ કરાવવા દબાણ, મણિનગરની પરિણિતાને માર મારી કાઢી મૂકી
મધ્યપ્રદેશની યુવતીને કામ અપાવવાના બહાને માંડવીના કરંજમાં દસ દિવસ ગોંધી રાખી સાથી યુવકનો બળાત્કાર
ભા૨તમાં કો૨ોનાના વધુ ૯૬૭૦ પોઝીટીવ : એકટીવ કેસમાં હવે વિશ્વમાં ચોથા નંબ૨ે
લાલ કિલ્લા પર આપેલા ભાષણમાં પીએમ મોદીએ કરી સ્ત્રી સશક્તિકરણની વાત
Share This Article
Facebook Email Print
Previous Article પોપ્યુલર બિલ્ડરનાં પાપ તેની બિલ્ડીંગો કરતા પણ ઉંચા, અનેક ઠાકોરોની જમીન પચાવી લીધી
Next Article આપઘાતને પણ રાજકીય હિંસા ગણાવે છે ભાજપ, શાહને મમતા બેનર્જીનો જવાબ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up