By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભાજપ દ્વારા દમણ – દીવનો 62મો મુક્તિ દિવસ ઉજવાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ભાજપ દ્વારા દમણ – દીવનો 62મો મુક્તિ દિવસ ઉજવાયો
GeneralSouth Gujarat

ભાજપ દ્વારા દમણ – દીવનો 62મો મુક્તિ દિવસ ઉજવાયો

HM News
Last updated: 19/12/2022 9:03 AM
HM News
3 years ago
Share
SHARE

આજે 19 ડિસેમ્બર સોમવારના રોજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દીવનો 62મો મુક્તિ દિવસ છે.જેને લઇ સ્થાનિક ભાજપના કાર્યકર્તા અને હોદ્દેદારોએ વિવિધ કાર્યકમોનું આયોજન કર્યું હતું.જેમાં આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી,દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ ભાજપ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ભાજપના પ્રદેશ કાર્યાલયના પટાગણમાં આયોજિત આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.રાષ્ટ્રગીત બાદ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો,જેમાં સ્વાગત પ્રવચન મહેશ અગરિયાએ કર્યું હતું.ત્યારબાદ સભામાં દમણ દીવના પૂર્વ સાંસદ સ્વ.શ્રી દેવજીભાઈ ટંડેલને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

દમણ દીવના સંસદ સભ્ય લાલુભાઈ પટેલે તેમના પ્રારંભિક પ્રવચનમાં સભાને સંબોધતા જણાવ્યું હતું કે, દમણ દીવની આઝાદી માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને હું વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.દમણ દીવની વિકાસ ગાથાને ઉજાગર કરતાં સાંસદએ કહ્યું કે દમણ ના દરિયા કિનારાના વિકાસને જોવા પ્રવાસીઓ દૂર-દૂરથી આવે છે.અને તેમની સાથે સુંદરતાની અવિસ્મરણીય યાદો લઈને જાય છે તમે અને મેં ક્યારેય આવા વિકાસની કલ્પના કરી ન હતી પરંતુ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની દૂરંદેશીથી અને સ્થાનીય વહીવટી તંત્રના પ્રશંસનીય પ્રયાસોને કારણે આ શક્ય બન્યું છે.

આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દમણ અને દીવની આઝાદી પછી વર્ષ 2014 સુધી જ્યારે આપણે કોઈ પણ ઈમારત કે રસ્તાની વાત કરતા ત્યારે સાંભળતા કે તે પોર્ટુગલના સમયથી છે.હોસ્પિટલ. પોર્ટુગલના સમયથી પૌરાણિક એવી તમામ ઇમારતો,શાળાઓ,પુલો વિશે આપણે સાંભળતા આવ્યા છીએ.તો આ મંચ પરથી હું કોંગ્રેસના સમર્થકોને અને તેની વિચારધારામાં માનનારાઓને પ્રશ્ન પૂછું છું કે દમણ અને દીવની આઝાદી પછી 50 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું? વર્ષ 2014માં કેન્દ્રમાં માનનીય નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ વિકાસે ઝડપી ગતિ પકડી છે.અને કોઈપણ વ્યક્તિ કે પ્રવાસીને પૂછો તો તમામ કામોનો શ્રેય ભાજપ શાસિત કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને જાય છે.અહીં થયેલા અસંખ્ય વિકાસે આ નાનકડા પ્રદેશને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ક્રમાંક ની યાદીમાં મૂક્યું છે.

હાલનું તાજું આનું એક ઉદાહરણ તો આપણું દીવ આગામી થોડા મહિનામાં G-20 કોન્ફરન્સની યજમાની કરવા જઈ રહ્યો છે.આ G-20 કોન્ફરન્સમાં વિશ્વના 56 દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે અને એ દિવસ આપણા બધા માટે એક યાદગાર અને ગૌરવપૂર્ણ ઘટના બનશે.વૈશ્વિક સ્તરે દમણ દીવની પોતાની એક અલગ છબી સાથે ઉભરી આવશે.આજે હું એવા વીરોને નમન કરું છું જેમણે દમણ દીવની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. ભાજપ કાર્યકર્તા સતત કામ કરે છે,અમે અમારા સંગઠન ને સતત સેવા ભાવનાથી ચલાવીએ છીએ.આવતી 25મી ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ છે.અમે આ દિવસને સમગ્ર દેશમાં સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ.આપણા પ્રદેશમાં પણ ભાજપ દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે.આપણા પ્રદેશના દરેક મંડળમાં સ્વર્ગસ્થ અટલજીને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે
આજના કાર્યક્રમમાં હાજર રહેવા બદલ ફરી એકવાર હું આપ સૌનો આભાર માનું છું.

ભાજપના પૂર્વ પ્રદેશ પ્રભારી રઘુનાથ કુલકર્ણીજી એ તેમના ટૂંકા સંબોધનમાં પ્રદેશના લોકોને મુક્તિ દિવસ નિમિત્તે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.આજના કાર્યક્રમમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનચરિત્ર પર લખાયેલ પુસ્તક Modi@20 નું હિન્દી સંસ્કરણ,ઉપસ્થિત કેટલાક મહાનુભાવોને સ્મૃતિચિહ્ન તરીકે આપવામાં આવ્યું હતું.જેમાં મંચ પરથી રઘુનાથ કુલકર્ણી,ગોપાલ દાદા,તરુણાબેન પટેલ,હેતાક્ષીબેન પટેલ,પ્રદીપ ભાવસાર અને ડૉ. બીજલ કાપડિયાને આ પુસ્તક અર્પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે આભારવિધિ ફાલ્ગુની બેન પટેલે વ્યક્ત કરી હતી.જેમાં મંચ પર ઉપસ્થિત મહાનુભાવોમાં સાંસદ લાલુભાઈ પટેલ,પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ તેમજ રઘુનાથ કુલકર્ણી,નવીનભાઈ રમણભાઈ પટેલ,સોનલબેન પટેલ,નિશાબેન ભવર, ગોપાલ દાદા,વિવેક દાઢકર,મહેશ અગરીયા,બી.એમ.માછી વગેરેનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

ઓલપાડ ખાતે નર્સિંગ બહેનો દ્વારા રેલી યોજી ‘વિશ્વ રક્તદાતા દિવસ’ની ઉજવણી કરાઈ
Ukraine War: સમગ્ર વિશ્વ થયું રશિયાની વિરૂદ્ધ, અત્યારસુધીમાં આ કંપનીઓએ બંધ કર્યો કારોબાર
દીવમાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા, સેન્ટપોલ ચર્ચમાં સેંકડો લોકો ઉમટી પડ્યાં
ઇન્દોરમાં ડૉકટર્સ પર પથ્થરમારો, મુસ્લિમ સમાજના લોકો શરમજનક, આવી રીતે માંગી માફી
પાકિસ્તાનમાં સરકાર વિરોધી રેલીના રિપોર્ટિંગ માટે ગયેલા ભારતીય મૂળના પત્રકારની પીટાઈ
Share This Article
Facebook Email Print
Previous Article PM મોદીએ ગુજરાતના નવા મંત્રીઓને આપ્યો કડક આદેશ, ગાંધીનગર બહાર જવાનું થયું તો…
Next Article સુરતમાં BRTS બસની અડફેટે યુવકનું મોત, આક્રોશમાં સ્થાનિકોએ બસ પર પથ્થર વરસાવ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up