– પાર્ટીના નેતાઓ વિરૂદ્ધ ટિ્વટ કરીને વિવાદ ઉભો કરતાં ભાજપના સંસદસભ્યએ સીધો ઇશારો કર્યેા કે ગુજરાતમાં મુખ્યમંત્રી બદલો અને આનંદીબહેનને સત્તાના સુકાન સોંપો
ભાજપના સંસદસભ્ય અને સિનિયર નેતા સુબ્રમણ્યમ સ્વામી તેમની વિવાદાસ્પદ ટિ્વટ માટે જાણીતા છે.પાર્ટીના નેતાઓને પણ તેઓ છોડતાં નથી. અગાઉ અણ જેટલી અને નિર્મલા સિતારામનને નિષ્ફળ નાણામંત્રી હોવાનું તેઓ કહી ચૂકયાં છે.તેમણે એવું કહ્યું છે કે જેનાથી હાલના મુખ્યમંત્રી વિજય પાણીની ચિંતામાં વધારો થયો છે.તાજેતરમાં ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો વહેતી થઇ હતી અને વિજય પાણીને બદલીને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પૂર્વ ગૃહ રાયમંત્રી પ્રફુલ્લ પટેલના નામ સપાટી પર આવ્યા હતા.જો કે માંડવિયાએ ખુસાલો કર્યેા હતો કે તેઓ મુખ્યમંત્રીની રેસમાં નથી અને ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન થવાનું નથીમુખ્યમંત્રીના સૂત્રોએ પણ આ બાબતને રદિયો આપ્યો હતો.
હવે શુક્રવારે મોડી સાંજે સુબ્રમણ્યમ સ્વામીએ ગુજરાતમાં વધતા જતા કોરોના કેસ અને મૃત્યુઆકં બાબતે ચિંતા જતાવી હતી અને ટિટ કયુ હતું કે ગુજરાતમાં વધતો જતો મૃત્યુઆકં સ્થિર થઇ શકે છે પરંતુ તેના માટે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને મુખ્યમંત્રી પદે ફરીથી બેસાડવામાં આવે.તેમની આ ટિટથી ગુજરાતના રાજકારણમાં હલચલ મચી ગઇ છે અને મુખ્યમંત્રી કાર્યાલયમાં ચિંતા પ્રસરી છે.૨૦૧૬માં ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યાં પછી આનંદીબહેન પટેલને મધ્યપ્રદેશના રાયપાલ બનાવવામાં આવ્યા હતા.આનંદીબહેન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે અને તેની અસર ભૂતકાળમાં ગુજરાતના રાજકારણ પર પણ પડી હતી.મધ્યપ્રદેશ પછી આનંદીબહેન પટેલને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવેલા છે.
સુબ્રમણ્યમ સ્વામી પાર્ટીમાં વિવાદાસ્પદ નિવેદનો કરવા માટે જાણીતા છે. તેમણે પહેલાં પૂર્વ નાણામંત્રી અણ જેટલીને ટારગેટ બનાવ્યા હતા અને હવે તેઓ હાલના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામનને પણ ટારગેટ બનાવી રહ્યાં છે.તેઓ શઆતથી ગુજરાત માટે વિવાદી ટિટ કરતા રહ્યાં છે.હવે તેમણે વિજય પાણીને નિશાન બનાવ્યા છે અને તેમના કહેવાનો ભાવાર્થ એવો થાય છે કે કોરોનાના કેસોમાં જો સુધારો કરવો હોય તો આનંદીબહેન પટેલને ફરીથી ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા જોઇએ.
ભાજપના સિનિયર નેતા સ્વામી અગાઉ ૨૦૧૭માં પણ એવું કહી ચૂકયાં છે કે આનંદીબહેન પટેલને ભારતના રાષ્ટ્ર્રપતિ બનાવવા જોઇએ.તેમણે કહ્યું હતું કે આનંદીબહેન પટેલ એક ગુજરાતી છે તેનાથી શું ફરક પડે છે.હું ણ ગુજરાતનો જમાઇ છું.