મુંબઈ : ભાયખલા પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે જતાં પર્યટકો હવે ઝૂમાં નવા દાખલ થયેલ સદસ્ય’રીંછ’ ને જોવાનો પણ આનંદ લઈ શકશે.આ નર રીંછ કે જેને’શિવા’નામ આપવામાં આવ્યું છે તેને નાશિકથી ૮૩૨ કિમીના પ્રવાસ બાદ પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવ્યું છે.જેના કાળા ઘેરા વાળ અને બાળક સમો ભાવૂક ચહેરો લોકોમાં આકર્ષણરૃપ બન્યો છે.૨૦૧૯માં એક વર્ષની માદા રીંછ શિવાનીને સૂરતથી અહીં લાવવામાં આવી હતી.જોકે હજી તેને અલગ જ રાખવામાં આવી છે.તે અન્ય રીંછની હાજરીમાં રહી નહીં.સ્લોથ બેઅર એન્ક્લોઝર ૧૨૦૦ ચો.મી.માં ફેલાયેલું છે,જે તાજેતરમાં જ બાંધવામાં આવ્યું છે.તેમાં આ રીંછને રાખવામાં આવ્યાં છે.ભાયખલા પ્રાણીસંગ્રહાલયના જીવશાસ્ત્રજ્ઞાએ જણાવ્યું કે,શિવાનો ક્વોરન્ટાઈન સમય પૂરો થયો હોય તેને સોમવારે પ્રદર્શન માટે ઝૂમાં છોડવામાં આવ્યું છે.જોકે બંનેને એક સાથે પ્રદર્શનમાં છોડવામાં આવ્યાં નથી.કારણ એવું જોવા મળ્યું છે કે,જ્યારે શિવાનીને પ્રદર્શન માટે મુક્ત કરવામાં આવે ત્યારે તે શિવાના ફીડ કેજ પાસે જાય છે.આથી અમે બંનેને એક પછી એક એમ છોડીએ છીએ.
નાગપુરના ગોરેવાડા પ્રાણી સંગ્રહાલયમાંથી સ્લોથ રીંછ અને ચિત્તાની જોડીને લાવવામાં આવ્યા હતાં.આ ત્રણેય પ્રાણીઓ એક મહિના પહેલાં જ મુંબઈ પહોંચી ગયા હતાં.તેમનો ક્વોરેન્ટીન પિરીયડ પૂરો થયો છે. જોકે દીપડાઓને હજી તેમના પ્રદર્શન વિસ્તારમાં છોડવાના બાકી છે.
ભાયખલા પ્રાણીસંગ્રહાલયમાં પર્યટકો માટે ‘શિવા’ રીંછ નવું આકર્ષણ

Leave a Comment