[weather_data]
Breaking News
TRENDING NEWS

ભારતના પ્લાસ્ટિક ઉદ્યોગનું કદ આગામી પાંચ વર્ષમાં રૂ. 10 લાખ કરોડને આંબશે : AIPMA

[updated_date] [post_views]

Table of Content

અમદાવાદ : ભારતમાં પ્લાસ્ટિક ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી અગ્રણી ઉદ્યોગ સંસ્થા,ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (AIPMA)ના જણાવ્યા અનુસાર દેશમાં પ્લાસ્ટીક ઉદ્યોગમાં ઝડપથી વૃદ્ધિ થઇ રહી છે.ઇમ્પોર્ટ સબ્સ્ટીટ્યૂશન(આયાત પ્રતિસ્થાપના-અવેજી) સ્થાનિક સ્તરે ઉદ્યોગને મોટી વૃદ્ધિની તક પ્રદાન કરે છે,જેને ધ્યાનમાં લેતા ચોક્કસ કહી શકાય કે, વર્ષ 2027 સુધીમાં આ ઉદ્યોગનું કદ ત્રણ ગણું વધીને રૂ. 10 લાખ કરોડને આંબી જશે.

AIPMA દ્વારા શુક્રવારે અમદાવાદમાં પ્લાસ્ટિક ઉદ્યોગના વિકાસ માટે તેની ત્રીજી ટેકનોલોજી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા અને પ્લાસ્ટિકની વસ્તુઓની આયાત અવેજીની સુવિધા આપવાના ઉદ્દેશ્ય સાથે આ કોન્ફરન્સ યોજાઈ હતી,જેમાં સમગ્ર દેશમાંથી ઉદ્યોગના પ્રતિનિધિઓ,સંશોધકો,નિષ્ણાતો,સરકારી અધિકારીઓ અને નીતિ નિર્માતાઓની ભાગીદારી જોવા મળી હતી.કોન્ફરેન્સમાં સ્વાગત પ્રવચન આપતા, AIPMAના પ્રમુખ મયુર શાહે જણાવ્યું હતું કે, પ્લાસ્ટિક ઉદ્યોગ સ્થાનિક બજારની માંગને પહોંચી વળવા માટે સારી સ્થિતિમાં છે અને સાથે જ વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક સપ્લાય હબ તરીકે પણ ઉભરી રહ્યું છે.

પાંચ લાખથી વધુ રોજગારીનું સર્જન કરશે

શાહે કહ્યું હતું કે, ભારતીય પ્લાસ્ટિક ઉદ્યોગે તેની ક્ષમતાઓ સાબિત કરી છે. AIPMA એ ઇમ્પોર્ટ સબ્સ્ટીટ્યૂશન(આયાત અવેજી) માટે 553 પ્લાસ્ટિક પ્રોડક્ટની ઓળખ કરી છે,જેની કુલ આયાત રૂ. 37,500 કરોડ જેટલી છે.આયાત અવેજીકરણ તરફના આ પગલાંથી દેશમાં 5 લાખ વધારાની નોકરીઓનું સર્જન થશે.આ આયાતની પ્રતિસ્થાપના(અવેજી) એક વિશાળ તક આપે છે.ભારત વૈશ્વિકસ્તરે મોટાં પ્લાસ્ટિક સપ્લાયર તરીકે ઉભરી આવવાની પણ ક્ષમતા ધરાવે છે.સરકાર અને ઉદ્યોગ વિકાસને વધુ પ્રોત્સાહિત કરવા અને ભારતીય પ્લાસ્ટિક ઉદ્યોગ માટે વૈશ્વિક સોર્સિંગ હબ બનવા માટે સ્થિર અને ટકાઉ વાતાવરણ બનાવવા માટે એકબીજાના સહકાર સાથે મળીને કામ કરી રહ્યા છે.અમને વિશ્વાસ છે કે ભારતીય પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ(ઇત્પાદન) ઉદ્યોગ દેશને $5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનાવવામાં મદદ કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

પ્લાસ્ટીક ઉત્પાદનોની નિકાસ 1 લાખ કરોડ થશે

આ કોન્ફરન્સને સંબોધતા, AIPMA ની ગવર્નિંગ કાઉન્સિલ અને AIPMA ના અરવિંદ મહેતા ટેક્નોલોજી એન્ડ આંત્રપ્રિન્યોરશિપ સેન્ટર (AMTEC)ના પ્રમુખ અરવિંદ મહેતાએ જણાવ્યું હતું કે, ભારતીય પ્લાસ્ટિક ઉદ્યોગ ઝડપી વિકાસ માટે તૈયાર છે.પ્લાસ્ટિક ઉદ્યોગનું કદ 2022-23માં રૂ.3.5 લાખ કરોડથી વધીને 2027-28માં રૂ.10 લાખ કરોડ આંબી જવાનો અંદાજ છે.પ્લાસ્ટિક ઉત્પાદનોની નિકાસ 40,000 કરોડથી વધીને રૂ. 1 લાખ કરોડ વધવાની આશા છે,જે ભારતીય ઉત્પાદનોની વૈશ્વિક સ્વીકૃતિને પ્રતિબિંબિત કરે છે.ભારતીય ઉદ્યોગ માટે આ એક ઉત્તમ અવસર છે અને આપણે તેનો મહત્તમ લાભ ઉઠાવવો જોઈએ.AIPMA કોન્ફરન્સે ઉત્પાદકો અને આયાતકારો વચ્ચે સીધા સંવાદ માટે એક પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવ્યું હતું.

આ સાથે જ તેણે આયાત અવેજીની સુવિધા માટે વિવિધ ટેકનોલોજી અને ઇનોવેશન(તકનીકો અને નવીનતા)નું પ્રદર્શન પણ કર્યું હતું.કોન્ફરન્સના વક્તાઓએ “આત્મનિર્ભર ભારત” અને “વોકલ ફોર લોકલ” જેવી પહેલોને પ્રોત્સાહન આપવામાં પ્લાસ્ટિક ઉદ્યોગની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

આયાતની નિર્ભરતા ઘટાડવા પર ભાર

કોન્ફરન્સમાં જાણીતા વક્તાઓના મુખ્ય સંબોધનો પણ રજૂ થયા હતા.ONGC પેટ્રો એડિશન લિમિટેડના MD ગુરિન્દર સિંઘે પ્લાસ્ટિકની વસ્તુઓની આયાત અવેજીમાં પેટ્રોકેમિકલ ઉદ્યોગો માટે વિકસતી તકો વિશે વાત કરી હતી.પ્લાસ્ટ ઇન્ડિયા ફાઉન્ડેશનના પ્રમુખ અને વિશાખા ગ્રુપના MD જીગીશ દોશીએ ભારતીય પ્લાસ્ટિક ઉદ્યોગ માટે વ્યાપાર તકો પર તેમના વિચારો રજૂ કર્યા હતા.હાલમાં સંખ્યાબંધ કંપનીઓ ચીન પરની તેમની નિર્ભરતા ઘટાડવા માટે “ચાઇના પ્લસ વન” વ્યૂહરચના અપનાવી રહી છે. મમતા મશીનરીના અધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલે આયાત અવેજીના કારણે પ્લાસ્ટિક મશીનરી ઉદ્યોગ માટે વ્યવસાયની તકો અંગે જાણકારી આપી હતી.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles